અમારા સૈનિકોએ નથી કાપ્યા પાક. જવાનોના મસ્તક: એન્ટની
સેનાએ આ રિપોર્ટનો ગઇકાલે પૂરજોરમાં ખંડન કરતા જણાવ્યું હતું કે તે સંપૂર્ણ વ્યાવસાયિકરીતે કાર્ય કરે છે અને તે ફૌજી નીતિ નિયમોની સામે કોઇ કામ નથી કરતી. સેનાએ જણાવ્યું કે પાકિસ્તાની સેનાએ પણ 1998 બાદથી આજ સુધી અંદરોઅંદર થયેલી બેઠક દરમિયાન આ પ્રકારની ઘટનાનો કોઇ ઉલ્લેખ કર્યો નથી, અને તે એ વાતની સાક્ષી પૂરે છે કે અહેવાલમાં સેના પર લાગેલા આરોપ ખોટા છે. આ રિપોર્ટ તરફ ધ્યાન ધ્યાન કેન્દ્રીત કરવા પર એન્ટનીએ તેને સંપૂર્ણ રીતે પાયાવિહોણો આરોપ ગણાવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 6 જાન્યુઆરીના રોજ એલઓસી પર ભારતીય જવાનોની ફાયરિંગમાં પાકિસ્તાની જવાનનું મોત થયું હતું. ત્યારબાદ 8 જાન્યુઆરીના રોજ પાકિસ્તાની જવાનોએ નિયંત્રણ રેખામાં ઘુસીને બે ભારતીય જવાનોની કરપીણ હત્યા કરી દીધા બાદ મામલો જોરદાર ચગ્યો હતો. ત્યારથી લઇને અત્યાર સુધી બંને દેશોની આરમી એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે. જ્યારે પાકિસ્તાન એ માનવા માટે તૈયાર નથી કે તેમના જવાનોએ ભારતીય જવાનોની હત્યા કરી હોય.