Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સિખ રમખાણઃ CBI ખોલી દિલ્હી પોલીસની કર્મ કુંડળી

cbi
નવી દિલ્હી, 15 માર્ચઃ 1984માં સિખ રમખાણો પણ સીબીઆઇએ કોર્ટમાં ચર્ચા દરમિયાન પોલીસની ભૂમિકાની કર્મ કૂંડળી ખોલી નાંખી છે. સીબીઆઇએ કોર્ટને જણાવ્યું છેકે દિલ્હી પોલીસે રમખાણોનો યોગ્ય રીતે અહેવાલ લખ્યો નથી, તપાસની વાત તો ઘણી દૂર છે. એટલું જ નહીં જે લોકોએ રમખાણોના સાક્ષીઓને આસરો આપ્યો તેમના પર જ કાર્યવાહી કરવામાં આવી.

સજ્જન કુમાર અને અન્ય પાંચ આરોપી વિરુદ્ધ અંતિમ ક્રોસ એક્ઝામિશન દરમિયાન સીબીઆઇએ કહ્યું કે દિલ્હી પોલીસે 84ના રમખાણોની કદાચ જ કોઇ તપાસ કરવામાં આવી હશે. જો કોન્સ્ટેબલ ડ્યૂટી પર હતા તે ના તો ઘટનાસ્થળે પહોંચ્યા કે ના તો કોઇ રિપોર્ટ કર્યો.

સીબીઆઇએ જણાવ્યું કે જે વ્યક્તિએ મુખ્ય સાક્ષી જગદીશ કોરને આસરો આપ્યો હતો. તેની જ દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી. સીબીઆઇના વકીલે કહ્યું કે પ્રત્યક્ષદર્શીઓને કોઇ પૂછપરછ સુદ્ધા કરવામાં આવી નથી. ઘણા ઘરો સંપૂર્ણ પણે સળગી ગયા હતા પરંતુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી નહીં. ના કોઇ રિપોર્ટ લખ્યો. પાંચ લોકોને જીવતા સળગાવી દેવામા આવ્યા પરંતુ દિલ્હી પોલીસના મુખ્ય તપાસ અધિકારી ક્યારેક ઘટનાસ્થળે ગયા નહીં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X