Delhi Election Result: નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા આ નેતા બની શકે છે મુખ્યમંત્રી, RSS સાથે છે સંકળાયેલા

દિલ્હી વિધાનસભા ચૂંટણી ભાજપની જીત થઈ છે. ત્યારે ભાજપમાં મુખ્યમંત્રી પદને લઈને ભારે હોબાળો ચાલી રહ્યો છે. પાર્ટી બપોરે ૧૨ વાગ્યા સુધી મતગણતરીના વલણોની રાહ જોઈ રહી હતી. પરંતુ જેમ જેમ મતગણતરીના અડધાથી વધુ રાઉન્ડ પૂરા થયા અને પાર્ટી દિલ્હીની 70 બેઠકોમાંથી નિર્ણાયક લીડ મેળવતી દેખાઈ, તેમ તેમ આગામી મુખ્યમંત્રી વિશેની અટકળો પણ વેગ પકડવા લાગી.

જે રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ 2024 ની લોકસભા ચૂંટણીમાં દેશભરમાં ભાજપની તરફેણમાં પાયાના સ્તરે સખત મહેનત કરી ન હતી, તેનું પરિણામ પાર્ટીને ભોગવવું પડ્યું. તે પછી ભાજપના નેતાઓને તેમની ભૂલનો અહેસાસ થયો અને તેઓ સંઘનું મહત્વ સમજી ગયા. પછી સંઘના સ્વયંસેવકોએ હરિયાણાથી મહારાષ્ટ્ર સુધીની ચૂંટણીમાં ભાજપ માટે પરસેવો પાડ્યો અને વિપક્ષ પાસેથી જીત છીનવીને પક્ષના ખોળામાં મૂકી દીધી. પાર્ટીના વૈચારિક સંગઠને દિલ્હીમાં પણ ભાજપ માટે જમીન તૈયાર કરવાનું કામ કર્યું છે અને તેના કારણે, મુખ્યમંત્રી પદ નક્કી કરવામાં તેની ભૂમિકા હોવાની અપેક્ષા છે.

ઉત્તમનગર બેઠકના ઉમેદવાર

મત ગણતરી દરમિયાન દિલ્હી ભાજપના એક નેતાએ વનઇન્ડિયાને મુખ્યમંત્રી પદ માટે સંઘની પસંદગી અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમના મતે 'જો સંઘ આ વખતે દિલ્હીના મુખ્યમંત્રી માટે પોતાની પસંદગી રજૂ કરે છે, તો તે ઉત્તમ નગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર પવન શર્મા હોઈ શકે છે.'

pavan sharma

નરેન્દ્ર મોદી સાથે છે અંગત સંબંધ

ભાજપના નેતાના મતે પૂર્વ મુખ્યમંત્રી મદનલાલ ખુરાના પછી પવન શર્મા દિલ્હી ભાજપના એકમાત્ર નેતા છે જે દિલ્હીના દરેક ખૂણાથી પરિચિત છે. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંઘના પ્રચારક હતા, ત્યારથી તેઓ મોદીજીના સાથી છે. દિલ્હીમાં તેમના રોકાણ દરમિયાન પીએમ મોદી પવનજી સાથે રહેતા હતા.

પવન શર્માએ વિવિધ હોદ્દા પર કર્યું છે કામ

ભાજપના નેતાના મતે આરએસએસ પ્રચારક હોવાને કારણે પવન શર્મા હજુ પણ અપરિણીત છે. તેમણે સંગઠન મંત્રીથી લઈને દિલ્હી ભાજપના પ્રમુખ સુધીના વિવિધ હોદ્દા સંભાળ્યા છે. મૂળ હરિયાણાના વતની શર્મા સંગઠનમાં સારી રીતે જોડાયેલા છે અને પાયાના સ્તરે પાર્ટી માટે લડવા માટે જાણીતા છે. ભાજપના નેતાના મતે 'મોદીજીએ ઘણીવાર આવા નિર્ણયોથી લોકોને આશ્ચર્યચકિત કર્યાન છે, ખટ્ટરનું ઉદાહરણ આપણી સામે છે, તેથી તેઓ દિલ્હીમાં ભાજપના આગામી મુખ્યમંત્રી બની શકે છે.'

બ્રાહ્મણને બનાવશે મુખ્યમંત્રી?

જો સંઘનો સંદેશ મળે તો પણ પવન શર્માના મુખ્યમંત્રી બનવામાં સૌથી મોટો અવરોધ તેમનું બ્રાહ્મણ હોવું હોઈ શકે છે. કારણ કે, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ આ જાતિના છે અને જે રીતે વિપક્ષ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે તે જોતાં જો ભાજપ દિલ્હીમાં પણ બ્રાહ્મણ મુખ્યમંત્રી બનાવે છે, તો તે ખૂબ જ બોલ્ડ નિર્ણય ગણી શકાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X