Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

RSSએ કહ્યું, ‘વધુ બાળકો પેદા કરે હિન્દુ’

Rashtriya-Swayamsevak-Sangh
નવી દિલ્હી, 27 ઓક્ટોબરઃ આરએસએસના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ શનિવારે કહ્યું કે, હિન્દુ પરિવારોએ સોસાયટીમાં જનસંખ્યાના સંતુલનને બગડતી બચાવવા માટે ત્રણ બાળકો પર ધ્યાન ફોકસ કરવું જોઇએ. આરએસએસના રાષ્ટ્રિય કાર્યકારિણીમાં મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, દત્તાત્રેયે કહ્યું કે, જનસંખ્યા સંતુલન ધર્મ પરિવર્તન, જન્મ દરમાં ઘટાડો અને બાંગ્લાદેશી ઘુસણખોરીના કારણે સંપૂર્ણપણે પ્રભાવિત થઇ રહ્યાં છે. તેમણે કહ્યું કે, દેશના ખાસ ભાગોમાં અલ્પસંખ્યકોના મુકાબલે હિન્દુ પરિવારોમાં જન્મદર સતત ઘટી રહ્યાં છે. જેના કારણે જનસંખ્યા સંતુલન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે.

તેમણે કહ્યું કે, પરિવાર નિયોજન કોઇ એક જ સમુદાયમાં લાગુ ના થવું જોઇએ. સંતુલિત વિકાસ માટે જનસંખ્યા સંતુલન કાયમ રહેવી ઘણી જ જરૂરી છે. દત્તાત્રેયે દાવો કર્યો છે કે, હિન્દુ પરિવારોમાં 0-6 વર્ષના બાળકોનો ગ્રોથ રેટ 15 ટકા છે, જ્યારે મુસ્લિમોમાં 18 ટકા છે. તેમણે સાથે જ કહ્યું કે, એલીટ હિન્દુઓને પરિવાર નિયોજન પર એકવાર ફરીથી વિચારવું જોઇએ. વન ચાઇલ્ડ નોર્મ્સના કારણે આપણી પાસે પર્યાપ્ત યૂથ નથી કે તે આર્મ્ડ ફોર્સ જોઇન કરી શકે.

તેમણે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના દેવાલય પહેલા શૌચાલયના નિવેદન પર કહ્યું કે, બન્ને સમાન રીતે જરૂરી છે. તેના પર કોઇ પ્રશ્ન ઉઠતો નથી કે, દેવાલય પહેલા કે શૌચાલય પહેલા. આરએસએસના રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠકમાં મુસ્લિમ ચરમપંથી અને સીમા સુરક્ષા પર પ્રસ્તાવ પણ પારીત કરવામાં આવ્યા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X