RSS નેતા રઘુનંદન શર્માએ કૃષિ મંત્રી તોમરને ખરી-ખોટી સંભળાવી
RSS નેતા રઘુનંદન શર્માએ કૃષિ મંત્રી તોમરને ખરી-ખોટી સંભળાવી
નવી દિલ્હીઃ કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાને લઈ ખેડૂતો છેલ્લા એક મહિનાથી દિલ્હીની બોર્ડર પર ડેરો નાખીને બેઠા છે. આ આંદોલનને જોતાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેતા રઘુનંદન શર્માએ કૃષિ મંત્રી તનરેન્દ્ર સિંહ તોમર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે સત્તાનો અહંકાર નરેન્દ્ર સિંહ તોમરના માથે ચઢી ગયો છે. જણાવી દઈએ કે મધ્ય પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા રઘુનંદન શર્માએ બે દિવસ પહેલા પોતાની ફેસબુક પોસ્ટમાં પણ સલાહ આપી હતી કે તોમરે રાષ્ટ્રવાદ મજબૂત કરવા માટે કામ કરવું જોઈએ.

રઘુનંદન શર્માએ ફેસબુક પોસ્ટમાં નરેન્દ્ર સિંહ તોમરને એક પત્ર લખ્યો. તેમણે લખ્યું કે પ્રિય નરેન્દ્ર જી, તમે ભારત સરકારમાં સહયોગી અને સહભાગી છો. આજની રાષ્ટ્રવાદી સરકાર બનવા સુધી હજારો રાષ્ટ્રવાદીઓએ પોતાના જીવનને લગાવ્યું છે. પાછલા 100 વર્ષોથી કેટલીય જિંદગીઓ પોતાના ત્યાગ, સમર્પણ અને પરિશ્રમથી ભારત માતાની સેવામાં લાગી ગઈ છે. તેમણે આગળ લખ્યું કે આજે તમને જે સત્તાનો અધિકાર મળ્યો છે તેને લઈ તમને ભ્રમ થઈ ગયો છે કે આ તમારા પરિશ્રમનું ફળ છે. તેમણે કહ્યું કે તમે મહેનતનું ફળ મેળવી રહ્યા છે એ તમારો ભ્રમ છે.
તેમણે કહ્યું કે સત્તાનો નશો તમારા માથે ચઢી રહ્યો છે. શર્માએ એમ પણ કહ્યું કે કેવી રીતે હજારો રાષ્ટ્રવાદીઓએ આજની રાષ્ટ્રવાદી સરકાર માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. તમે જનાદેશ શા માટે ખોઈ રહ્યા છો? ઘડામાંથી પાણીના ટીપાં ટપકતાં હોય તો ઘડો ખાલી થઈ જાય છે અને આવું જ જનાદેશ સાથે પણ હોય છે. રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવા માટે કામ કરો નહિતર આપણે પછતાવવું પડશે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ











Click it and Unblock the Notifications
