વંદે ભારત ટ્રેન અમૃતસરથી દિલ્હી વચ્ચે પણ ચલાવો, પંજાબના નાણામંત્રી હરપાલસિંહ ચીમાએ કરી માંગ
પંજાબના નાણમંત્રી એડવોકેટ હરપાલસિંહ ચીમા દ્વારા કેન્દ્રીય બજેટ 2023-24 માટે પંજાબના તમામ ભલામણો અને માંગો સાથે એક કોમ્પ્રિહેન્સિવ મેમોરેન્ડમ સોંપવામાં આવ્યું છે.
પંજાબના નાણમંત્રી એડવોકેટ હરપાલસિંહ ચીમા દ્વારા કેન્દ્રીય બજેટ 2023-24 માટે પંજાબના તમામ ભલામણો અને માંગો સાથે એક કોમ્પ્રિહેન્સિવ મેમોરેન્ડમ સોંપવામાં આવ્યું છે. આ સાથે રાજ્યના સીમાવર્તી જિલ્લાના વિકાસ માટે સીમાવર્તી વિસ્તારમાં 2500 કરોડનું વિશેષ ઔદ્યોગિક પેકેજ આપવાની માંગ કરવામાં આવે છે.

15મા નાણાપંચની પેટા સમિતિની ભલામણો અનુસાર રોકડ ક્રેડિટ મર્યાદાના ઠરાવ સહિતની મુખ્ય માંગણીઓ
- જેઓ પરાળી સળગાવે છે તેવા ખેડૂતોને મદદ કરવા માટે 1125 કરોડ
- પોલીસ દળના આધુનિકીકરણ માટે 1000 કરોડની વિશેષ સહાય
- રાજ્યના સંવેદનશીલ સરહદી જિલ્લાઓમાં પોલીસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
- વંદે ભારત ટ્રેન પવિત્ર શહેર અમૃતસરથી નવી દિલ્હી સુધી દોડાવાની માંગ
- ભટિંડાથી નવી દિલ્હી અને રાજપુરા અને ચંદીગઢ વચ્ચેની રેલવે લિંકની માંગ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
