એસ જયશંકરનો પાકિસ્તાનને સંદેશ, 'ઉગ્રવાદ, કટ્ટરતા જેવી શક્તિઓને જે અનુસરે છે તેનો શિકાર તે ખુદ બને છે'
વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે, કટ્ટરતા અને હિંસા જેવી શક્તિઓ તેમનું ભરણપોષણ કરનારાઓનો શિકાર કરે છે.
નવી દિલ્હી : વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારના રોજ સરહદ પારના આતંકવાદ માટે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો હતો. આ સાથે તેમણે જણાવ્યું હતું કે ઉગ્રવાદ, કટ્ટરતા અને હિંસા જેવી શક્તિઓ તેમનું ભરણપોષણ કરનારાઓનો શિકાર કરે છે. કિર્ગિસ્તાનમાં એશિયામાં સંવાદ અને આત્મવિશ્વાસ નિર્માણના પગલાંની છઠ્ઠી મંત્રી સભામાં તેમણે ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલ (બીઆરઆઈ) પર પ્રહાર કરતા કહ્યું કે, તમામ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સના કેન્દ્રમાં રાષ્ટ્રોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર થતો હોવો જોઈએ.
તેમનું આ નિવેદન 5 ઓગસ્ટના રોજ કાબુલ પર તાલિબાનોના કબ્જા બાદ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ભૂમિકા અંગે નવી દિલ્હીમાં વધતી ચિંતાઓની પૃષ્ઠભૂમિમાં આવ્યું છે. આવા સમયે, ભારતે BRI અંતર્ગત ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) જેવી પહેલનો પણ વિરોધ કર્યો છે, કારણ કે તેનો નોંધપાત્ર ભાગ પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાંથી પસાર થાય છે. વિદેશ મંત્રીએ આતંકવાદને CIA ના સભ્યો માટે શાંતિ અને વિકાસના સામાન્ય ધ્યેયનો સૌથી મોટો દુશ્મન ગણાવ્યો હતો, જે કઝાકિસ્તાનના નેતૃત્વમાં વર્ષ 1999માં સ્થપાયેલી એશિયામાં સુરક્ષા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે સહકાર માટેનું બહુરાષ્ટ્રીય મંચ હતું.

જયશંકરે સ્પષ્ટપણે પાકિસ્તાન પર નિશાન સાધતા જણાવ્યું કે, અમે આ યુગમાં એક દેશ દ્વારા બીજા દેશ સામે આતંકવાદના ઉપયોગને સમર્થન આપી શકતા નથી. સરહદ પાર આતંકવાદ એ શાસન નથી, તે આતંકવાદનું માત્ર એક બીજું સ્વરૂપ છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે આ ખતરા સામે એક થવું જોઈએ. કારણ કે, આબોહવા પરિવર્તન, રોગચાળા જેવા મુદ્દાઓ પર એકતા છે. અનુમાન લગાવવું જોઇએ કે, આતંકવાદ, ઉગ્રવાદ, કટ્ટરપંથ, હિંસા અને કટ્ટરતાનો ઉપયોગ હિતો સાધવા માટે થઈ શકે છે, તે વિચાર ખૂબ જ બાલિશ છે. આવા દળો તેઓને પોષનારા લોકોને નિશાન બનાવશે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
