MPમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચાર માટે સચિન રાજી

ગુગાલિયા અનુસાર તેંડુલકર બેથી ત્રણ દિવસ રાજ્યના પ્રવાસ પર રહીને લગભગ નવ વિધાનસભા વિસ્તારમાં પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં સભાઓ કરશે. તેમણે જણાવ્યું કે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ ટૂંક સમયમાં તેમના પ્રવાસની તારીખ અને વિધાનસભા વિસ્તારની પસંદગી કરી લેશે.
અત્રે નોંધનીય છે કે કોંગ્રેસ સમિતિએ શહેરમાં પાર્ટીના પ્રચાર માટે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર અને અભિનેત્રી રેખાને આમંત્રણ આપ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ કમિટિ દ્વારા ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકોની સૂચિ માગવામાં આવી હતી, જેમાં સચિન તેંડુલકર અને રેખાને શહેરમાં પાર્ટીના પ્રચાર માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારથી જ સચિનના પ્રચારની વાતો ફિઝાઓમાં તરી રહી હતી.












Click it and Unblock the Notifications
