અખિલેશની હારથી દુઃખી સપા કાર્યકર્તાએ પોતાને આગ લગાવી, ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ!
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ ફરી એકવાર હારનો સ્વાદ ચાખ્યો છે. ગત ચૂંટણીની જેમ આ વખતે પણ ભાજપે યુપીમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવાની તૈયારી કરી લીધી છે.
લખનઉ, 10 માર્ચ : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ ફરી એકવાર હારનો સ્વાદ ચાખ્યો છે. ગત ચૂંટણીની જેમ આ વખતે પણ ભાજપે યુપીમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવાની તૈયારી કરી લીધી છે. આ દરમિયાન ઘણા સપા કાર્યકર્તાઓ આ હાર સ્વીકારવામાં અસમર્થ છે, મત ગણતરીના દિવસે યુપી વિધાનસભા સામે જ કંઈક થયું, જેના કારણે ત્યાં હંગામો મચી ગયો. વાસ્તવમાં સમાજવાદી પાર્ટીના એક કાર્યકર્તાએ વિધાનસભાની સામે જ પોતાની જાતને આગ લગાવી દીધી, સદનસીબે સમયસર તેનો જીવ બચી ગયો.

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ રસ્તાની વચ્ચે પોતાની જાતને આગ લગાવતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ત્યાં ઉભેલા પોલીસકર્મીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે આગની જ્વાળાઓમાં ઘેરાયેલો વ્યક્તિ પોતાને બચાવવા માટે એક પછી એક પોતાના તમામ કપડા ઉતારી રહ્યો છે. તે જ સમયે તેના શરીરમાં લાગેલી આગને ઓલવવા માટે પોલીસકર્મીઓ પણ ધાબળો લઈને તેની તરફ દોડ્યા. આ ઘટના બાદ રસ્તા પર ઘણી ભીડ એકઠી થઈ ગઈ અને ટ્રાફિક જામ થઈ ગયો.
बड़ी घटना
— Pankaj Parashar (@PANKAJPARASHAR_) March 10, 2022
लखनऊ में समाजवादी पार्टी के कार्यकर्ता ने खुद को आग लगा ली। pic.twitter.com/C3SCxsL3Fz
ઉલ્લેખનિય છે કે ઉત્તરપ્રદેશમાં ભાજપ ફરીથી સત્તામાં આવી રહી છે, જ્યારે ભારે ટક્કર આપનાર સમાજવાદી પાર્ટી સત્તાથી દુરી છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
