Sadhguru: બ્રેઈન સર્જરી પછી સદગુરુ જગ્ગી વાસુદેવની કેવી છે તબિયત? ડૉક્ટરોએ આપી હેલ્થ અપડેટ
Sadhguru Health Update: ઈશા ફાઉન્ડેશનના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવનું બ્રેઈન હેમરેજ થયા બાદ બ્રેઈન સર્જરી કરવામાં આવી છે. સદગુરુને લગભગ એક મહિનાથી માથાનો દુખાવો હતો. બ્રેઈન હેમરેજને કારણે સદગુરુનો જીવ જોખમમાં હતો.
અપોલો હોસ્પિટલના ડૉકટરોએ મગજની સફળ સર્જરી બાદ સદગુરુની હેલ્થ અપડેટ આપી છે. એક વરિષ્ઠ ડૉક્ટરે જણાવ્યું કે, "સદગુરુ જગ્ગી વાસુદેવના મગજમાં ખૂબ જ ખતરનાક (જીવન માટે જોખમી) રક્તસ્ત્રાવ થયો હતો, જેના પછી નવી દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ અપોલો હૉસ્પિટલમાં તેમની મગજની સર્જરી કરવામાં આવી છે. જોકે હવે તે સ્વસ્થ થઈ રહ્યા છે.

અપોલો હૉસ્પિટલે જણાવ્યું હતું કે સદગુરુ છેલ્લા ચાર અઠવાડિયાથી ગંભીર માથાનો દુખાવોથી પીડાઈ રહ્યા હતા. પીડાની તીવ્રતા હોવા છતાં, તેમણે તેમના સામાન્ય દૈનિક સમયપત્રક અને સામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને 8 માર્ચે મહા શિવરાત્રિની ઉજવણીનું આયોજન પણ કર્યું. આ પછી તેમણે તેમની સારવારનું આયોજન કર્યું.
મગજની સર્જરી પછી, સદગુરુએ તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર હૉસ્પિટલના બેડ પરથી એક વીડિયો પણ શેર કર્યો. આ વીડિયોમાં સદગુરુ કહે છે, "અપોલો હૉસ્પિટલના ન્યૂરોસર્જને મારી ખોપરી કાપીને કંઈક શોધવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ મળ્યું નહીં. મારું મન સાવ કોરું છે. તેથી તેમણે છોડી દીધું અને તેને ઠીક કર્યું. હું અહીં દિલ્હીમાં છું અને મારા મગજ પર પાટો બાંધવામાં આવ્યો છે પરંતુ બ્રેઈનમાં કશું જ નથી.
તમને જણાવી દઈએ કે હૉસ્પિટલ દ્વારા જણાવ્યા મુજબ 15 માર્ચે સદગુરુનો માથાનો દુખાવો અત્યંત ગંભીર બની ગયો હતો ત્યારે તેમણે લગભગ 3:45 વાગ્યે દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ અપોલો હૉસ્પિટલના સીનિયર કન્સલ્ટન્ટ ન્યૂરોલોજિસ્ટ ડૉ. વિનીત સૂરીની સલાહ લીધી. ડૉ. વિનીત સુરીએ તરત જ સબ-ડ્યુરલ હેમેટોમાની શંકા વ્યક્ત કરી અને તાત્કાલિક એમઆરઆઈ કરવાનો આદેશ આપ્યો.
તે જ દિવસે સાંજે 4:30 વાગ્યે સદગુરુએ ઈન્દ્રપ્રસ્થ અપોલો હૉસ્પિટલમાં મગજનો એમઆરઆઈ કરાવ્યો અને તેમાં મગજમાં મોટા પ્રમાણમાં રક્તસ્ત્રાવ થયો હોવાનું બહાર આવ્યું. જે બાદ સદગુરુને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામાં આવી હતી પરંતુ તેમની 15 માર્ચે સાંજે 6 વાગ્યે મીટિંગ હતી અને 16 માર્ચે ઈન્ડિયા ટુડે કૉન્ક્લેવ પણ હતું.
સદગુરુ 17 માર્ચના રોજ નબળાઇ અનુભવતા હતા અને વારંવાર ઉલ્ટીઓ સાથે માથાનો દુખાવો શરૂ થયો હતો. જે બાદ તેમને અપોલો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ. વિનીત સૂરી, ડૉ. પ્રણવ કુમાર, ડૉ. સુધીર ત્યાગી અને ડૉ. એસ ચેટર્જી સહિત વરિષ્ઠ ડૉક્ટરોની આખી ટીમ સદગુરુની બ્રેઈન સર્જરીમાં સામેલ હતા. સર્જરી બાદ સદગુરુને વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવ્યા હતા. હાલમાં સદગુરુ સતત સ્વસ્થ થઈ રહ્યા છે. સદગુરુના માથા અને શરીરમાં સુધારો થઈ રહ્યો છે.
An Update from Sadhguru... https://t.co/ouy3vwypse pic.twitter.com/yg5tYXP1Yo
— Sadhguru (@SadhguruJV) March 20, 2024
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
