Sadhguru: બ્રેઈન સર્જરી પછી સદગુરુ જગ્ગી વાસુદેવની કેવી છે તબિયત? ડૉક્ટરોએ આપી હેલ્થ અપડેટ
Sadhguru Health Update: ઈશા ફાઉન્ડેશનના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવનું બ્રેઈન હેમરેજ થયા બાદ બ્રેઈન સર્જરી કરવામાં આવી છે. સદગુરુને લગભગ એક મહિનાથી માથાનો દુખાવો હતો. બ્રેઈન હેમરેજને કારણે સદગુરુનો જીવ જોખમમાં હતો.
અપોલો હોસ્પિટલના ડૉકટરોએ મગજની સફળ સર્જરી બાદ સદગુરુની હેલ્થ અપડેટ આપી છે. એક વરિષ્ઠ ડૉક્ટરે જણાવ્યું કે, "સદગુરુ જગ્ગી વાસુદેવના મગજમાં ખૂબ જ ખતરનાક (જીવન માટે જોખમી) રક્તસ્ત્રાવ થયો હતો, જેના પછી નવી દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ અપોલો હૉસ્પિટલમાં તેમની મગજની સર્જરી કરવામાં આવી છે. જોકે હવે તે સ્વસ્થ થઈ રહ્યા છે.

અપોલો હૉસ્પિટલે જણાવ્યું હતું કે સદગુરુ છેલ્લા ચાર અઠવાડિયાથી ગંભીર માથાનો દુખાવોથી પીડાઈ રહ્યા હતા. પીડાની તીવ્રતા હોવા છતાં, તેમણે તેમના સામાન્ય દૈનિક સમયપત્રક અને સામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને 8 માર્ચે મહા શિવરાત્રિની ઉજવણીનું આયોજન પણ કર્યું. આ પછી તેમણે તેમની સારવારનું આયોજન કર્યું.
મગજની સર્જરી પછી, સદગુરુએ તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર હૉસ્પિટલના બેડ પરથી એક વીડિયો પણ શેર કર્યો. આ વીડિયોમાં સદગુરુ કહે છે, "અપોલો હૉસ્પિટલના ન્યૂરોસર્જને મારી ખોપરી કાપીને કંઈક શોધવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ મળ્યું નહીં. મારું મન સાવ કોરું છે. તેથી તેમણે છોડી દીધું અને તેને ઠીક કર્યું. હું અહીં દિલ્હીમાં છું અને મારા મગજ પર પાટો બાંધવામાં આવ્યો છે પરંતુ બ્રેઈનમાં કશું જ નથી.
તમને જણાવી દઈએ કે હૉસ્પિટલ દ્વારા જણાવ્યા મુજબ 15 માર્ચે સદગુરુનો માથાનો દુખાવો અત્યંત ગંભીર બની ગયો હતો ત્યારે તેમણે લગભગ 3:45 વાગ્યે દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ અપોલો હૉસ્પિટલના સીનિયર કન્સલ્ટન્ટ ન્યૂરોલોજિસ્ટ ડૉ. વિનીત સૂરીની સલાહ લીધી. ડૉ. વિનીત સુરીએ તરત જ સબ-ડ્યુરલ હેમેટોમાની શંકા વ્યક્ત કરી અને તાત્કાલિક એમઆરઆઈ કરવાનો આદેશ આપ્યો.
તે જ દિવસે સાંજે 4:30 વાગ્યે સદગુરુએ ઈન્દ્રપ્રસ્થ અપોલો હૉસ્પિટલમાં મગજનો એમઆરઆઈ કરાવ્યો અને તેમાં મગજમાં મોટા પ્રમાણમાં રક્તસ્ત્રાવ થયો હોવાનું બહાર આવ્યું. જે બાદ સદગુરુને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામાં આવી હતી પરંતુ તેમની 15 માર્ચે સાંજે 6 વાગ્યે મીટિંગ હતી અને 16 માર્ચે ઈન્ડિયા ટુડે કૉન્ક્લેવ પણ હતું.
સદગુરુ 17 માર્ચના રોજ નબળાઇ અનુભવતા હતા અને વારંવાર ઉલ્ટીઓ સાથે માથાનો દુખાવો શરૂ થયો હતો. જે બાદ તેમને અપોલો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ. વિનીત સૂરી, ડૉ. પ્રણવ કુમાર, ડૉ. સુધીર ત્યાગી અને ડૉ. એસ ચેટર્જી સહિત વરિષ્ઠ ડૉક્ટરોની આખી ટીમ સદગુરુની બ્રેઈન સર્જરીમાં સામેલ હતા. સર્જરી બાદ સદગુરુને વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવ્યા હતા. હાલમાં સદગુરુ સતત સ્વસ્થ થઈ રહ્યા છે. સદગુરુના માથા અને શરીરમાં સુધારો થઈ રહ્યો છે.
An Update from Sadhguru... https://t.co/ouy3vwypse pic.twitter.com/yg5tYXP1Yo
— Sadhguru (@SadhguruJV) March 20, 2024
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
