સાક્ષી મહારાજનું વિવાદિત નિવેદન, કાચીંડા સાથે કરી રાહુલ ગાંધીની સરખામણી
સાક્ષી મહારાજે કાચીંડા સાથે કરી રાહુલ ગાંધીની સરખામણી
ઉન્નાવઃ ઉન્નાવથી ભાજપના સાંસદ સાક્ષી મહારાજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સરખામણી કાચીંડા સાથે કરી છે. તેમણે કહ્યું કે રંગ બદલવામાં રાહુલ ગાંધીએ કાચીંડાને પણ પાછળ છોડી દીધો છે. ઉલ્લેખનીય છે કે, સાક્ષી મહારાજ પ્રિયંકા અને રાહુલ ગાંધીના કુંભ સ્નાન પર પૂછેલા સવાલનો જવાબ આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ ક્યારેક જનોઈ ધારી પંડિત બની જાય છે તો ક્યારેક શિવ ભક્ત તો ક્યારેક કંઈક બીજું જ કરવા લાગે છે. તેમણે કહ્યું કે હવે રાહુલ ગાંધી અને તેમની કોંગ્રેસ સમજી ગઈ છે કે જે હિંદુ હિતની વાત કરશે, તે જ દેશ પર રાજ કરશે. માટે ભેષ બદલી રહ્યા છે.

મંદિર માટે યોગીની વાનર સેના જ કાફી છે
રામ મંદિ પર યોગી આદિત્યનાથના નિવેદન પર સાક્ષી મહારાજે કહ્યું કે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યના મુખ્યમંત્રી છે. આના માટે તેમની વાનર સેના જ કાી છે. 24 કલાકમાં રામ મંદિરનું નિર્માણ થઈ જશે. જણાવી દઈએ કે, સીએમ યોગી આદિત્યનાથે નિવેદન આપ્યું હતું કે 24 કલાકમાં રામ મંદિરની સમસ્યાનું સમાધાન થઈ જશે.

ધર્મ સભામાં નિર્ણય લેવામાં આવશે
કુંભમાં થનાર ધર્મસભાની બેઠકની ચર્ચા કરતાં સાક્ષી મહારાજે કહ્યું કે ધર્મસભામાં રામ મંદિરના સંબંધમાં નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે પીએમ મોદી ભાજપ અને તેની સાથે જોડાયેલ સંગઠન રામ મંદિરને લઈને આંદોલિત છે, જેમની ચર્ચા કરે છે. તેમના સિવાય કોઈપણ પક્ષ રામ મંદિના નિર્માણને લઈ તત્પર નથી.

ઉન્નાવથી જ ચૂંટણી લડીશ
જ્યારે સંસદીય ક્ષેત્ર બદલવાના સવાલ પર સાક્ષી મહારાજે કહ્યું કે જો ચૂંટણી લડીશ તો ઉન્નાવથી જ લડીશ, નહિતર સક્રિય રાજનીતિમાંથી સંન્યાસ લઈ લઈશ. જ્યાં સુધી સક્રિય રાજનીતિમાં છું ત્યાં સુધી હું ઉન્નાવથી જ ચૂંટણી લડીશ.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
