Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર કોંગ્રેસ નેતાના વિવાદાસ્પદ નિવેદન પર ભાજપે કર્યો પલટવાર, ગણાવ્યુ દલિત વિરોધી

કોંગ્રેસ નેતા ડૉ. ઉદિત રાજે જે રીતે દેશના રાષ્ટ્રપતિ વિશે ટ્વિટ કર્યુ તેના પર ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રવકતા સંબિત પાત્રાએ જોરદાર પ્રહાર કર્યો છે.

નવી દિલ્લીઃ કોંગ્રેસ નેતા ડૉ. ઉદિત રાજે જે રીતે દેશના રાષ્ટ્રપતિ વિશે ટ્વિટ કર્યુ તેના પર ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રવકતા સંબિત પાત્રાએ જોરદાર પ્રહાર કર્યો છે. સંબિત પાત્રાએ ઉદિત રાજની ટીકા કરીને કહ્યુ કે રાષ્ટ્રપતિ માટે જે રીતના શબ્દોનો કોંગ્રેસ નેતાએ ઉપયોગ કર્યો છે તે ચિંતાજનક છે. આવુ પહેલી વાર નથી જ્યારે આ લોકોએ આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે. આ પહેલા કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પણ આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ લોકોનુ આ પ્રકારનુ નિવેદન દર્શાવે છે કે આ લોકો દલિત વિરોધી છે.

cong-bjp

તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા ઉદિત રાજે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિશે વાંધાજનક ટિપ્પણી કરી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ કે, 'દ્રૌપદી મુર્મૂજી જેવા રાષ્ટ્રપતિ કોઈ દેશને ના મળે. ચમચાગિરીની પણ હદ છે. કહે છે કે 70 ટકા લોકો ગુજરાતનુ નમક ખાય છે. ખુદ નમક ખઈને જિંદગી જીવો તો ખબર પડશે. જો કે, જે રીતે દ્રૌપદી મુર્મૂ વિશે આપેલા નિવેદન પર વિવાદ થયો ત્યારબાદ ઉદિત રાજે સફાઈ આપી છે અને તેમણે કહ્યુ કે મારુ નિવેદન કોંગ્રેસ પાર્ટીનુ નથી પરંતુ મારુ છે.'

udit raj

મહિલા પંચે મોકલી નોટિસ

વળી, ઉદિત રાજના ટ્વિટની જાણવાજોગ લઈને રાષ્ટ્રીય મહિલા પંચના ચેરમેન રેખા શર્માએ કહ્યુ કે દેશના સર્વોચ્ચ મહિલા જે પોતાની કઠોર મહેનતના બળ પર એ પદ પર પહોંચ્યા છે તેમની સામે આ વાંધાજનક ટિપ્પણી છે. ડૉક્ટર ઉદિત રાજે પોતાના નિવેદન પર માફી માંગવી જોઈએ. મહિલા પંચ આ બાબતે ઉદિત રાજને નોટિસ મોકલી રહી છે.

પોતાના ટ્વિટ પર સફાઈ આપીને ઉદિત રાજે લખ્યુ, દ્રૌપદી મુર્મૂજીનુ રાષ્ટ્રપતિ તરીકે પૂરુ સમ્માન છે. તે દલિત-આદિવાસીના પ્રતિનિધિ પણ છે અને તેમને અધિકાર છે પોતાના ભાગના સવાલ કરવાનો. આને રાષ્ટ્રપતિ સાથે જોડવામાં ન આવે. વધુ એક ટ્વિટ કરીને ઉદિત રાજે લખ્યુ, આ નિવેદન દ્રૌપદી મુર્મૂજી માટે મારુ પોતાનુ છે, કોંગ્રેસ પાર્ટીનુ નથી. મુર્મૂજીને ઉમેદવાર બનાવ્યા તેમજ મત માંગ્યા આદિવાસીના નામથી. રાષ્ટ્રપતિ બનવાથી શું તે આદિવાસી નથી રહ્યા? દેશના રાષ્ટ્રપતિ છે તો આદિવાસીના પ્રતિનિધિ પણ છે. રડવુ ત્યારે આવે છે જ્યારે એસસી/એસટીના નામે પદ પર જાય છે પછી ચૂપ.

ઉલ્લેખનીય છે કે ઉદિત રાજ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં પણ સામેલ છે. ભારત જોડો યાત્રા દરમિયાન જે રીતે રાહુલ ગાંધીએ વરસાદ વચ્ચે ભાષણ આપ્યુ અને તેના ફોટા વાયર થયા તેના પર તેમણે કહ્યુ કે રાહુલ ગાંધીજીએ પીએમ પદનુ અધ્યક્ષ પદ છોડ્યુ, મૂસળધાર વરસાદમાં મૈસૂરમાં ભાષણ આપ્યુ કારણકે જનતા પણ પલળી રહી હતી. દેશના લોકો જાગો, પદયાત્રા તમારા દુઃખોના નિવારણ માટે કરવામાં આવી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X