SCએ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને આપી રાહત, કોર્ટે કહ્યું- કોઇ દુધનું ધોયેલુ નથી
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને સુપ્રીમ કોર્ટમાંથી આજે 9 માર્ચ સુધી રાહત મળી છે. કોર્ટે કહ્યું છે કે તે ટૂંક સમયમાં નિર્ણય લેશે કે સિંહ વિરુદ્ધના તમામ કેસ સીબીઆઈને સોંપવામાં આવે કે નહીં. મંગળવારે પોતાના આદેશમ
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને સુપ્રીમ કોર્ટમાંથી આજે 9 માર્ચ સુધી રાહત મળી છે. કોર્ટે કહ્યું છે કે તે ટૂંક સમયમાં નિર્ણય લેશે કે સિંહ વિરુદ્ધના તમામ કેસ સીબીઆઈને સોંપવામાં આવે કે નહીં. મંગળવારે પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર પોલીસ હાલ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે નહીં. ભ્રષ્ટાચારના કેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારી અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અનિલ દેશમુખની સંડોવણીના આરોપો પર, કોર્ટે કહ્યું કે તે "ખૂબ જ ગંદી સ્થિતિ" અને "ખૂબ જ કમનસીબ સિસ્ટમ" છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે 'દૂધનુ ધોયેલુ નથી'.
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને રાહત
વાસ્તવમાં મહારાષ્ટ્ર સરકારે કોર્ટમાં દલીલ કરી છે કે પરમબીર સિંહ સામેના તમામ કેસ કેન્દ્રીય એજન્સીને ટ્રાન્સફર કરી શકાય નહીં. આના પર કોર્ટે કહ્યું છે કે તે જલ્દી જ નિર્ણય લેશે કે શું તમામ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવા જોઈએ. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈના ઘરની બહાર બોમ્બ મળ્યા બાદ શરૂ થયેલા વિવાદને કારણે સિંહને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. બાદમાં મહારાષ્ટ્ર સરકારે તેમને ભ્રષ્ટાચારના આરોપમાં સસ્પેન્ડ પણ કર્યા હતા. પરમબીર સિંહે મહારાષ્ટ્રના તત્કાલિન ગૃહ પ્રધાન અને NCP નેતા અનિલ દેશમુખ પર પોલીસને દર મહિને 100 કરોડ રૂપિયાની ખંડણીનો ટાર્ગેટ આપવાનો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો હતો. તેના પર પોલીસના કામમાં દખલ કરવાનો આરોપ પણ લાગ્યો હતો.
કોઈ દૂધનુ ધોયેલુ નથી - સુપ્રીમ કોર્ટ
આ આરોપો પછી, અનિલ દેશમુખને ખુરશી પરથી હાંકી કાઢવામાં આવ્યા અને જ્યારે કાર્યવાહી શરૂ થઈ, ત્યારે તે મહિનાઓ સુધી તપાસ એજન્સીઓને ચકમો આપતા રહ્યા અને લાંબા સમય પછી તે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પરમબીર સિંહના કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યું, 'અમે ફરીથી કહેવા માંગીએ છીએ. આ ખૂબ જ ગંદી સ્થિતિ છે. તેમાં કોઇ દૂધનુ ધોયેલુ નથી. રાજ્યના વહીવટીતંત્ર અને પોલીસ તંત્રમાંથી લોકોનો વિશ્વાસ ડગમગાવવાની આ વૃત્તિ છે. આ ખૂબ જ કમનસીબ સ્થિતિ છે. પરંતુ, કાયદાની પ્રક્રિયા ચાલુ રાખવી જોઈએ. દેશમુખ હાલ જેલમાં છે.
મહારાષ્ટ્ર સરકાર ઈચ્છે છે કે તેની પોલીસ તપાસ કરે
આ
કેસમાં
સીબીઆઈ
તરફથી
હાજર
થતાં
સોલિસિટર
જનરલ
તુષાર
મહેતાએ
દલીલ
કરી
હતી
કે
સિંઘ
સાથે
સંબંધિત
તમામ
કેસોની
તપાસ
કેન્દ્રીય
એજન્સી
દ્વારા
થવી
જોઈએ.
અગાઉ,
કોર્ટે
મુંબઈ
પોલીસને
પરમબીર
સિંહ
વિરુદ્ધ
તપાસ
ચાલુ
રાખવાની
મંજૂરી
આપી
હતી,
પરંતુ
તેમની
સામે
ગેરવર્તણૂક
અને
ભ્રષ્ટાચારના
કેસમાં
ચાર્જશીટ
દાખલ
કરવાથી
રોકી
હતી.
આ
કેસમાં,
મહારાષ્ટ્ર
પોલીસ
વતી,
અગાઉ
કોર્ટમાં
કહેવામાં
આવ્યું
છે
કે
પરમબીર
સિંહને
બિલકુલ
વ્હિસલ
બ્લોઅર
તરીકે
ગણી
શકાય
નહીં,
કારણ
કે
જ્યારે
તેમની
બદલી
કરવામાં
આવી
ત્યારે
તેમણે
ભૂતપૂર્વ
ગૃહ
પ્રધાન
વિરુદ્ધ
કથિત
ભ્રષ્ટાચારના
આરોપો
પર
બોલવાનું
શરૂ
કર્યું
હતું.
ગયા
વર્ષે
22
નવેમ્બરના
રોજ,
સુપ્રીમ
કોર્ટે
સિંહ
વિરુદ્ધ
નોંધાયેલા
અપરાધિક
કેસોમાં
મહારાષ્ટ્ર
પોલીસ
દ્વારા
તેમની
ધરપકડ
પર
રોક
લગાવી
દીધી
હતી.
સિંહે
તેમની
વિરુદ્ધ
દાખલ
થયેલા
તમામ
કેસોની
સીબીઆઈ
તપાસ
માટે
કોર્ટમાં
અરજી
કરી
છે,
જેના
પર
મહારાષ્ટ્ર
સરકારનું
કહેવું
છે
કે
તેમની
સામે
નોંધાયેલા
ફોજદારી
કેસોમાં
દખલ
ન
થવી
જોઈએ.
હવે
સુપ્રીમ
કોર્ટ
9
માર્ચે
આ
મામલે
અંતિમ
સુનાવણી
હાથ
ધરશે
કે
શું
તેની
સામે
નોંધાયેલી
તમામ
FIR
CBIને
ટ્રાન્સફર
કરવી
જોઈએ
કે
નહીં.