લાલુની જામીન અરજી પર CBIને સુપ્રીમની નોટિસ

નવી દિલ્હી, 29 નવેમ્બર: સુપ્રીમ કોર્ટે ચારા કૌભાંડમાં રાંચની જેલમાં કેદ રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી પર કેન્દ્રીય તપાસ બ્યૂરોને આજે નોટિસ ફટકારી છે.

મુખ્ય ન્યાયાધીશ પી સદાશિવમ અને ન્યાયમૂર્તિ રંજન ગોગોઇની ખંડપીઠે ઝારખંડ હાઇ કોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર સીબીઆઇને નોટિસ ફટકારીને બે અઠવાડીયાની અંદર જવાબ આપવાનો આદેશ કર્યો છે.

lalu prasad yadav
કોર્ટે આ મામલાની સુનાવણી હવે 13 ડિસેમ્બરના રોજ રાખેલી છે. નીચલી અદાલતમાં જમાનત નહી મળ્યા બાદ લાલુ યાદવ ઝારખંડની હાય કોર્ટ પહોંચ્યા હતા. પરંતુ કોર્ટે તેમની જામીન અરજી નકારી કાઢી હતી. જેના કારણે તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ મામલે જેલ ગયા બાદ તેઓ લોકસભાની સભ્યતા ગુમાવી ચૂક્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લાલુ, બિહારના એક અન્ય પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્ર અને 43 અન્યને 30 સપ્ટેમ્બરના રોજ સીબીઆઇની ખાસ કોર્ટે તેમને ચારા કૌભાંડમાં ફંડમાંથી ગેરકાનૂની રીતે 37.7 કરોડ રૂપિયા નિકાળવાના મામલા પર દોષી ઠેરવ્યા હતા. કોર્ટે તમને 3 ઓક્ટોબરના રોજ અલગ-અલગ સજા સંભળાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X