ગાજિયાબાદમાં એક જ પરિવારના 7 સભ્યોની હત્યા

મળતી માહિતી મુજબ કોતવાલી વિસ્તારના એક વિસ્તારમાં પરિવારના સભ્યોની હત્યા ધારદાર હથિયાર વડે કરવામાં આવી છે. પરિવારના સભ્યોની લાશો ઘરમાંથી મળી આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કહેવામાં આવે છે કે ઘરના વડીલનું નામ સતીશ ગોયલ છે અને તે ફર્નીચરના ધંધા સાથે સંકળાયેલા છે.
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ગાજિયાબાદના બિઝનેસ મેન સતીશ ગોયલ (62), પત્ની મંજૂ (60) પુત્ર સચિન (40) પુત્રવધૂ (38) અને પૌત્રો - પૌત્રી મેધા (13) હની (11) અને અમનની ઘરની અંદરમાં મૃત અવસ્થામાં મળી આવ્યાં હતા. પોલીસે અધિકારી જણાવ્યું હતું કે ઘર અસ્તવ્યસ્ત જોવા મળ્યું હતું. ધરમાં તૂટેલી તિજોરીને જોતાં એમ લાગી રહ્યું છે કે અપરાધીઓએ ઘરમાંથી કિંમતી સામાનની ચોરી કરી છે.
બુધવારે સવારે આઠ વાગે પડોશીએ ઘરનો મેઇન દરવાજો ખોલ્યો તો આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.












Click it and Unblock the Notifications
