શંકરાચાર્યએ સ્થગિત કર્યો રામ મંદિર શિલાન્યાસ કાર્યક્રમ, પુલવામા હુમલા બાદ કર્યો નિર્ણય
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કાર્યક્રમનું એલાન કરનાર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીએ પોતાનો પ્રવાસ અને શિલાન્યાસનો કાર્યક્રમ રદ કરી દીધો છે.
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કાર્યક્રમનું એલાન કરનાર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીએ પોતાનો પ્રવાસ અને શિલાન્યાસનો કાર્યક્રમ રદ કરી દીધો છે. પુલવામામાં આતંકી હુમલા બાદ દેશમાં ઉત્પન્ન થયેલા માહોલને જોતા તેમણે પોતાના આ કાર્યક્રમને થોડા સમય માટે સ્થગિત કરી દીધો છે. તેમણે જણાવ્યુ કે રામ મંદિર શિલાન્યાસ કાર્યક્રમ સામયિક અને આવશ્યક પણ છે પરંતુ દેશમાં ઉત્પન્ન થયેલી આ આકસ્મિક પરિસ્થિતિના કારણે આ કાર્યક્રમ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી રહ્યો છે.

અયોધ્યા કૂચ કરવાનો સંકલ્પ લીધો હતો
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા કુંભ મેળામાં આયોજિત પરમ ધર્મ સંસદ દરમિયાન શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વીઓ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કરવાની ઘોષણા કરી હીત અને 17 ફેબ્રુઆરીએ જ અયોધ્યા કૂચ કરવાનો સંકલ્પ કર્યો હતો. જો કે ત્યારબાદ સમગ્ર દેશમાં એક અલગ જ લહેર ચાલી રહી હતી અને મંદિર નિર્માણ કાર્યક્રમ સંબંધિત આ પ્રક્રિયાએ સરકારની મુશ્કેલીઓ વધારી દીધી હતી પરંતુ અચાનકથી સીઆરપીએફના જવાનો પર આતંકી હુમલાઓ સમગ્ર દેશને ઝંઝોડી દીધુ અને આ વિશે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ પોતાની અયોધ્યા યાત્રા તેમજ કાર્યક્રમ સ્થગિત કરી દીધો છે.

શું બોલ્યા શંકરાચાર્ય
અયોધ્યા કાર્યક્રમ સ્થગિત કર્યા બાદ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યુ કે પુલવામાની ઘટના બાદ દેશની બદલાયેલી પરિસ્થિતિઓમાં અમે દેશની સાથે છે. અયોધ્યા કાર્યક્રમથી હાલમાં સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ભટકી શકે છે. અમે સદાથી દેશવાસીઓની ભાવનાઓ સાથે રહ્યા છે. એટલા માટે અયોધ્યા શિલાન્યા કાર્યક્રમ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં મુહૂર્ત જોઈને આ કાર્યક્રમ પૂરો કરવામાં આવશે.

શંકરાચાર્ય પર હતુ ભારે દબાણ
રામ મંદિર નિર્માણ અંગે શિલાન્યાસ કાર્યક્રમની ઘોષણાએ સમગ્ર દેશની નજર શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી પર જ ટીકાવી દીધી હતી. કારણકે આ સમગ્ર દુનિયામાં વસેલા હિંદુઓની આસ્થા સાથે જોડાયેલો મામલો હતો અને હાલમાં જ્યારે દેશ દુઃખ અને શોકમાં ડૂબેલો છે એવામાં અયોધ્યા કાર્યક્રમને પૂરો કરવાથી દેશની આંતરિક સ્થિતિ બગાડી શકે છે. આ અંગે શંકરાચાર્ય પર સતત દબાણ હતુ. જ્યારે સરકારથી લઈ સંત મહાત્માઓ તેમના નજીકના લોકો તેમજ પ્રશાસનિક અધિકારીઓ પણ સતત શંકરાચાર્યના સંપર્કમાં હતા અને તેમને કાર્યક્રમ રદ કરવા માટે કહી રહ્યા હતા. જ્યારે સંઘ પ્રમુખ મોહન ભાગવત, ભાજપના પ્રમુખ અમિત શાહ તેમજ અખાડા પરિષદે પણ આ કાર્યક્રમ ન કરવા માટે દબાણ કર્યુ હતુ.

સીએમ યોગીએ ફોન પર કર્યો આગ્રહ
શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીના સહયોગી સ્વામી સદાનંદ સરસ્વતીએ જણાવ્યુ કે અખાડા પરિષદના અધ્યક્ષ સ્વામી નરેન્દ્ર ગિરીએ પણ પત્ર લખીને આ કાર્યક્રમને સ્થગિત કરવાનો અનુરોધ કર્યો હતો. જ્યારે સીએમ યોગી આદિત્યનાથ પણ આ કાર્યક્રમને રદ કરવા માટે શંકરાચાર્ય સાથે સતત ફોન પર વાત કરી રહ્યા હતા. શંકરાચાર્ય પર સતત પોતાના શિષ્યો, સહયોગીઓનું ઘણુ દબાણ હતુ અને દેશમાં પેદા થયેલી સ્થિતિ આગળ તેમણે કાર્યક્રમને રદ કરવો જ યોગ્ય સમજ્યો. હાલમાં રામ નિર્માણ સાથે જોડાયેલી આ પ્રક્રિયાના સ્થગિત થવાથી જ્યાં મંદિર બનાવવા હજુ વધુ રાહ જોવી પડશે. જો કે ભાજપ સરકારે રાહતનો શ્વાસ જરૂર લીધો છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
