નવી દિલ્હી, 27 જાન્યુઆરી: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા દરેક રાજનૈતિક પાર્ટીએ કમર કસી લીધી છે. અત્રે કોંગ્રેસ પાર્ટી પોસ્ટર પર પોસ્ટર જારી કરી રહી છે, જ્યારે ભાજપાએ એક અનોખી પહેલ કરી છે. 26 જાન્યુઆરીના દિવસે ભાજપે 'ઇન્ડિયા 272 પ્લસ' પોર્ટલ પર દેશવ્યાપી અભિયાન 'મારા સપનાનું ભારત' શરૂ કર્યું છે. જેથી દેશના દરેક ભારતીય પોતાની વાત આ અભિયાન અંતર્ગત કરી શકે કે તે પોતાના દેશ અંગે શું વિચારે છે, અને શું કરવા માગે છે? ભાજપ તરફથી ભારતીઓને પોતાની વાત કહેવાનો એક સુંદર મંચ તૈયાર કરવામાં આવ્યો છે.
ભાજપે પોતાની આ અનોખી પહેલને ખૂબ જ ઉમદા ગણાવતા જણાવ્યું છે કે આ અભિયાન અંતર્ગત દેશનો દરેક નાગરિક પોતાના વિચારો રજૂ કરી શકશે. આમા સામાન્ય લોકો પાસે એવા વિચાર માગવામાં આવ્યા છે જેનાથી દેશની પરિસ્થિતિમાં સુધારો થાય. લોકો આ અભિયાનના માધ્યમથી ડર્યા વગર પોતાની વાત રાખી શકે છે. પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહે આની શરૂઆત કરી અને બીજા લોકોને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી.
ભાજપે જણાવ્યું કે દેશ આ સમયે, મોંઘવારી, ભ્રષ્ટાચાર, ફૂગાવો, વંશવાદના ચક્કરમાં ફંસાયેલો છે. દેશની સત્તાસીન કેન્દ્ર સરકારના કારણે દેશ આ સમયે ભારે મુસીબતમાં છે જેને સામાન્ય જનતા તાત્કાલિક છૂટકારો મેળવવા માગે છે. લોકોને હજી પણ આશા છે કે કાળા વાદળો હટી જશે અને સપનાઓનું ભારત જરૂર સામે આવશે આ ઉદ્દેશ્યથી ભાજપે 'મારા સપનાનું ભારત' અભિયાન શરૂ કર્યું છે. ભાજપે વિશ્વાસ અપાવ્યો છે કે 'મારા સપનાનું ભારત' ચોક્કસ જન્મ લેશે.