શશિ થરૂર બોલ્યા- નેહરૂને કારણે આજે 'ચાવાળો' પીએમ બની શક્યો
શશિ થરૂર બોલ્યા- નેહરૂને કારણે આજે 'ચાવાળો' પીએમ બની શક્યો
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે એક કાર્યક્રમ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પર પરોક્ષ રીતે નિશાન સાધ્યું. દેશના વિકાસમાં પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂના યોગદાનને યાદ કરવતા થરૂરે કહ્યું કે, 'નેહરૂને કારણે આજે એક ચાવાળો પીએમ બની શક્યો.' જણાવી દઈએ કે શશિ થરૂરે વર્ષ 2013માં પંડિત નહેરૂ પર લખેલ પુસ્તક Nehru-The Invetion Of Indiaનું નવું એડિશન લૉન્ચ કર્યું છે. આ પુસ્તકના લોકાર્પણ સમયે કાર્યક્રમ દરમિયાન શશિ થરૂરે સત્તા પક્ષ પર પ્રહાર કર્યો અને દેશમાં લોકતંત્રની મૂળ મજબૂત કરવા માટે જવાહરલાલ નેહરુના યોગદાનને યાદ કર્યું.

થરૂરના પુસ્તકનું લોકાર્પણ
કાર્યક્રમમાં સંબોધન આપતાં શશિ થરૂરે કહ્યું કે કેટલાક લોકો આરોપો લગાવી રહ્યા છે કે પંડિત નેહરુએ પોતાની દીકરી (ઈંદિરા ગાંધી)ને પોતાના ઉત્તરાધિકારી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ આરોપો પાયાવિહોણા છે. થરૂરે કહ્યું કે પંડિત નેહરુએ દેશમાં લોકતાંત્રિક સંસ્થાનોને મજબૂત કરવામાં મહત્વનું યોગદાન આપ્યું.

મોદી પર કર્યા પ્રહાર
પોતાની વાતને સાબિત કરવા માટે થરૂરે એક જૂનો કિસ્સો સંભળાવતા કહ્યું કે, 'જ્યારે એક પ્રખ્યાત અમેરિકન પત્રકારે પંડિત નેહરુને સવાલ કર્યો હતો કે તમે તમે તમારા વારસાને કઈ રીતે જોવા માગો છો? તો આના જવાબમાં પંડિત નેહરુએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે તેમના દેશની જનતા ખુદ સરકાર ચલાવવામાં સક્ષમ થાય.' થરૂરે કહ્યું કે નેહરુજીના નિધન બાદ દેશ રડ્યો, પરંતુ તેમણે લોકતંત્રને એટલી મજબૂતી આપી દીધી હતી કે દેશ તેમના મૃત્યુ પાદ પણ આગળ વધતો રહ્યો. કોંગ્રેસના સાંસદે કહ્યું કે, 'આજે જો આપણા દેશમાં લોકતંત્ર છે તો તે એટલા માટે કેમ કે પંડિત નેહરુએ તેને આકાર આપ્યો. આજે જો કોઈ ચાવાળો દેશનો પ્રધાનમંત્રી બની શકે છે તો તે એટલા માટે કેમ કે પંડિત નેહરુએ એવી લોકતાંત્રિક સંસ્થાઓ બનાવી, જેના કારણે દેશનો દરેક નાગરિક દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચી શકે છે.'

કહ્યું- નેહરુને કારણે મોદી પીએમ બની શક્યા
દેશમાં સેક્યૂલેરિઝ્મનાં મૂળ મજબૂત કરવામાં પંડિત નેહરુના યોગદાનનો ઉલ્લેખ કરતા શશિ થરૂરે કહ્યું કે પંડિત નેહરુના અને તેમના કેટલાય મિત્રોના ઘરમાં કામ કરનારા લોકો મુસ્લિમ હતા. જેમના માટે એમના મનમાં બહુ આદર હતો. કોંગ્રેસ નેતાએ કહ્યું કે એકવાર પંડિત નેહરુએ કહ્યું હતું કે આ મુલ્લા, સાધૂ કે સંત દેશની દરેક સમસ્યાનું સમાધાન ન કરી શકે. આ જ કારણ રહ્યું છે જેનાથી તેમણે સેક્યૂલરિઝ્મને ભારે મહત્વ આપ્યું. આ દિવસોમાં ઈન્ટરનેટ પર પંડિત નેહરુ વરુદ્ધ ચાલી રહેલ ખોટા સમાચારો પર થરૂરે કહ્યું કે 'આવું કેમ કરવામાં આવી રહ્યું છે કે ભારતના એક મહાન સપૂત, જેણે આ દેશનો પાયો નાખ્યો, તેને બદનામ કરવાની કોશિશ કેમ થઈ રહી છે? આજે ભારત અંતરિક્ષના ક્ષેત્રમાં કેટલી પ્રગતિ કરી રહ્યો છે. ભારતના અંતરિક્ષ કાર્યક્રમનો પાયો પણ પંડિત નેહરુએ જ રાખ્યો હતો.' જણાવી દઈએ કે બેંગ્લોર લિટરેચર ફેસ્ટિવલ દરમિયાન પણ શશિ થરૂરે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે અજ્ઞા આરએસએસના સૂત્રએ એમને કહ્યું હતું કે, 'પીએમ મોદી શિવલિંગ પર બેઠેલા વીંછીની જેમ છે, જેમને હાથથી પણ ન હટાવી શકાય અને ચપ્પલ મારીને પણ ન હટાવી શકાય.'
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
