પીએમ મોદીના 'રેઇનકોટ'વાળા નિવેદન પર ભડક્યા ઉદ્ધવ ઠાકરે
ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે, પહેલા ભાજપમાં અટલ બિહારી વાજપાયી, લાલકૃષ્ણ અડવાણી જેવા ચહેરા હતા. હવે પાર્ટીમાં માત્ર ગુંડાઓ જોવા મળે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 'રેઇનકોટ' વાળા નિવેદન પર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એ વ્યંગ્ય કર્યો છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાને સાબુ વિના ફીણ ઊભું કર્યું છે. ઠાકરેએ કહ્યું કે, ભલે તેઓ (ભૂતપૂર્વ વડાપ્રધાન) રેઇનકોટ પહેરતા હતા, મનમોહન સિંહ પાણીનો ઉપયોગ તો કરતા હતા. પરંતુ તમે (મોદી) તો દેશમાં કોઇને પણ પાણીથી નથી નહાવા દેતા. તમે તો વિના સાબુએ જ ફીણ ઉત્પન્ન કર્યું છે. ઠાકરેએ નોટબંધી ને કારણે સામાન્ય જનતાને ભોગવવી પડેલી હાલાકીઓ તરફ ઇશારો કરી પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું.

પીએમ મોદીનું વિવાદિત નિવેદન
શિવસેના પ્રમુખ મુંબઇમાં બીએમસી ચૂંટણી માટે એક રેલી સંબોધિત કરી રહ્યાં હતાં. અહીં તેમણે રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા રેઇનકોટવાળા નિવેદનની નિંદા કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું, ડૉ.સાહેબે યૂપીએ સરકારના તમામ ગોટાળા છતાં પોતાના પર ડાઘ ન લાગવા દીધો. રેઇનકોટ પહેરીને નાહવાની કળા તો ડૉક્ટર સાહેબ જ જાણે છે.

'સારુ થયું કે ગઠબંધન નથી'
ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે, સારું છે કે બીએમસી ચૂંટણીમાં તેમણે ભાજપ સાથે ગઠબંધન ના કર્યું, નહીં તો પોસ્ટર પર વડાપ્રધાન સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પપ્પૂ કલાની (હત્યાના આરોપી ભૂતપૂર્વ ધારાસભ્ય) ની છબી પણ લગાડવી પડી હોત. ઠાકરેએ કહ્યું કે, એ રાહતની વાત છે કે કલાની જેવા લોકો સાથે મારે હાથ નથી મિલાવવો પડ્યો.

'ભાજપમાં હવે માત્ર ગુંડાઓના ચહેરાઓ જોવા મળે છે'
ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે, અમે લોકો પ્રત્યે જવાબદાર છીએ. પહેલા ભાજપમાં અટલ બિહારી વાજપાયી, લાલકૃષ્ણ અડવાણી જેવા ચહેરાઓ હતા. હેવ માત્ર ગુંડાઓના ચહેરા જોવા મળે છે. હવે મોદી અને અમિત શાહ સાથે પોસ્ટરમાં કલાની જેવા ચહેરાઓ જોવા મળે છે.

'ફડણવીસે મુંબઇ અને પટના બંન્નેનું અપમાન કર્યું'
શિવસેના પ્રમુખે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર પણ નિશન સાધ્યું હતું. ફડણવીસે કહ્યું હતું કે, મુંબઇ વિકાસના મામલે પટનાથી કમ નથી. તેમણે કહ્યું, મુંબઇ કોઇ પણ શહેરથી વધુ વિકસિત અને પ્રગતિશીલ છે. પરંતુ પટના પણ પાછળ નથી. ફડણવીસે મુંબઇ અને પટના બંન્નેનું અપમાન કર્યું છે. કેન્દ્રને મળતા ટેક્સમાં મુંબઇનું સૌથી મોટું યોગદાન છે. આ વર્ષે મુંબઇવાસીઓએ સરકારને 2 લાખ કરોડનો ટેક્સ ચૂકવ્યો છે.

અહીં વાંચો
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
