બાલાસાહેબ ઠાકરેને પણ આપો ભારતરત્ન: મનોહર જોશી
મુંબઇ, 25 ડિસેમ્બર: શિવસેના પ્રમુખ દિવંગત બાલાસાહેબ ઠાકરેને પણ ભારત રત્ન આપવાની માંગ શિવસેના નેતા મનોહર જોશીએ કરી છે. તેમણે કહ્યું કે બાલાસાહેબને ગરીબો માટે મોટું કામ કર્યું છે, એટલા માટે દેશના સર્વોચ્ચ સન્માન આપીને તેમનું ગૌરવ વધારવું જોઇએ. મનોહર જોશીએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે દેશના વિભિન્ન રાજ્યોમાં ઉલ્લેખનીય કાર્ય કરતનાર નેતાઓ માટે ભારત રત્ન આપવાની માંગ ઉઠી રહી છે, એવામાં બાલાસાહેબ માટે ભારત રત્નની માંગ કરવી ખોટી નથી.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નરેન્દ્ર મોદી બાલાસાહેબને ભારત રત્ન આપવાની તેમની માંગ પર જરૂર ધ્યાન આપશે. તેમણે કહ્યું કે શિવસેના અને ભાજપ, બંને રાજ્ય અને કેન્દ્રની સત્તામાં સાથે-સાથે છે. જે પ્રકારે અટલ બિહારી વાજપાઇના કાર્ય મહાન છે, તે જ પ્રકારે બાલાસાહેબના કાર્ય પણ અનમોલ છે, એટલા માટે બાલાસાહેબને પણ ભારત રત્ન મળવો જોઇએ.
શિવસેનાની આ માંગ પર જ્યારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને તેમની પ્રતિક્રિયા પૂછવામાં આવી તો તેમણે કહ્યું કે ભારત રત્ન ચાહનારાઓની યાદી લાંબી છે, પરંતુ તેમાં કોઇ શક નથી કે બાલાસાહેબનું ખૂબ મોટું છે.