શિવસેનાની ધમકી, પ્રતિબંધ હટાવો નહીં તો વિમાન નહીં ઉડવા દઇએ
રવિન્દ્ર ગાયકવાડના બચાવમાં ઉતરી શિવસેના,આપી આ ધમકી વાંચો વિગતવાર અહીં.
શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડ દ્વારા એર ઇન્ડિયાના કર્મચારી મારપીટ પછી આજે લોકસભામાં આ મામલે ભારે હંગામો થયો. શિવસેનાએ ધમકી આપી કે એર લાઇન્સ દ્વારા ગાયકવાડ પર લાગેલો પ્રતિબંધ જો નહીં હટે તો મુંબઇ અને પુણેથી કોઇ પર પ્રકારની એર લાઇન્સની ઉડ્ડાનનું સંચાલન નહીં થવા દઇએ. આ ધમકી પછી એર ઇન્ડિયાના સ્ટાફે સુરક્ષા માંગી છે. આ વચ્ચે સમાચાર એજન્સી એએનઆઇના સુત્રોના હવાલે તે પણ ખબર આવી છે કે એર ઇન્ડિયા શિવસેના સાંદર પર લાગેલા બેનને નહીં હટાવે. વધુમાં ગુરુવારે લોકસભામાં પહોંચેલા રવિન્દ્ર ગાયકવાડે સંસદમાં સફાઇ આપી હતી કે તેમની સાથે અન્યાય થયો છે. અને સંસદમાં સત્યનો વિજય થવો જોઇએ. તેમણે કહ્યું કે મારો અપરાધ શું છે? તપાસ વિના જ મીડિયા ટ્રાયલ કરી રહી છે.

વધુમાં શિવસેના સાંસદોએ પણ આ અંગે નારેબાજી કરી હતી. તેમણે કહ્યું કે એરઇન્ડિયાના કર્મચારીએ મારી સાથે ખરાબ વર્તન કર્યું. સીટ માટેના ઝગડાની વાતને નકારતા તેમણે કહ્યું કે મારા સંવૈધાનિક અધિકારોનું હનન થયું છે. અને મારી પર હત્યાની કોશિષનો આરોપ કેમ લગાવવામાં આવ્યો છે? તેમણે આ અંગે એરઇન્ડિયાના સીએમડી પર કાર્યવાહીની માંગ કરી હતી. નોંધનીય છે કે ગાયકવાડ પર 23 માર્ચે એર ઇન્ડિયાના એક કર્મચારી પર 25 વાર ચંપલથી માર મારવાનો આરોપ છે. અને તેમણે આ અંગે મીડિયામાં કબૂલાત પણ કરી છે. વધુમાં તેમણે આ અંગે માફી ન માંગવાની વાત કરતા સ્પષ્ટતા આપી છે કે માફી એરઇન્ડિયાએ માંગવી જોઇએ.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
