બે બેઠકોથી ચૂંટણી લડવાનું શું છે ચૌહાણનું 'રાજ'
ભોપાલ, 9 નવેમ્બર: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બે બેઠકો પરથી ચૂંટણી લડવા માટેનું ઉમેદવારી પત્ર ભરીને સૌને અચંબામાં મૂકી દીધા છે. ભારતીય જનતા પાર્ટી આને રણનીતિનો એક ભાગ ગણાવી રહી છે, જ્યારે રાજકારણમાં આના વિવિધ અર્થો કાઢવામાં આવી રહ્યા છે. રાજ્યોમાં સંભવત: આ પ્રથમ ઘટના છે જ્યારે કોઇ મુખ્યમંત્રી અથવા પ્રમુખ પક્ષનો કોઇ દિગ્ગજ નેતા એક સાથે બે વિધાનસભા વિસ્તારની ચૂંટણી લડી રહ્યા હોઇ.
મુખ્યમંત્રી શિવરાજે જ્યા પોતાની પરંપરાગત બેઠક બુદનીથી ઉમેદવારી પત્ર ભર્યું છે જ્યારે પોતાના પૂર્વ સંસદીય વિસ્તાર વિદિશાના વિધાનસભા વિસ્તારમાંથી પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ લોકસભામાં નેતા પ્રતિપક્ષ સુષમા સ્વરાજનું સંસદીય વિસ્તાર પણ આ જ છે. વર્તમાનમાં વિદિશાથી રાજ્યના પૂર્વ મંત્રી રાઘવજી વિધાયક છે, જેમને પોતાના નોકરના શારિરીક શોષણના આરોપમાં પોતાના મંત્રી પદ પરથી અને પાર્ટીના સભ્યપદથી પણ હાથ ધોવો પડ્યો.

તેમનું કહેવું છે કે શિવરાજને પોતાની ગૃહનગરની બેઠક બુદની પર જીત મળવાનો વિશ્વાસ નથી, જેથી તેઓ વિદિશાથી ચૂંટણી લડી રહ્યા છે. બાદલ સરોજનું કહેવું છે કે જ્યારે કોઇ નેતા એક સ્થાનથી પોતાને અસુરક્ષિત અનુભવે છે, ત્યારે જ અન્ય બેઠકની પસંદગી કરે છે. આ જ વાત શિવરાજ સિંહને પણ લાગુ પડે છે.












Click it and Unblock the Notifications
