Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શિવસેના: PM મૌની બાબા છે, જે ખાલી વિદેશમાં ભારત પર બોલે છે

શિવસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું છે કે પીએમ મોદી હવે નવા મૌની બાબા બની ગયા છે. જે ભારતના મામલે ખાલી ત્યારે બોલે છે જ્યારે તે વિદેશમાં હોય છે. વધુ વાંચો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિવસેના પર મોટા હુમલો કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૌની બાબા છે. શિવસેનાએ પીએમ પર તે પણ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન ભારતના વિષયો પર ખાલી ત્યારે જ બોલે છે જ્યારે તે વિદેશમાં હોય છે. શિવસેનાના મુખ્યપત્ર સામનામાં છપાયેલા સંપાદકીય લેખમાં તેમણે મનમોહન મોદી હેડલાઇન સાથે આ ટિપ્પણી કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે દેશની રાજધાનીને લંડન, ન્યૂયોર્ક, ટોકિયો, પેરિસ જેવા કોઇ દેશને બનાવી દેવી જોઇએ. અને નવી દિલ્હીને ફિલ્મ સેટ તરીકે સ્થાનાંતરિત કરી દેવું જોઇએ. અને તેને વિદેશી શહેરની જેમ જોવું જોઇએ. આ લેખમાં મનમોહન સિંહના તે સૂચનનું પણ સમર્થન કરવામાં આવ્યું છે જેમાં મનમોહન સિંહે પીએમ મોદીને કહ્યું હતું કે પીએમ મોદી જે તેમને પહેલા સૂચન આપતા હતા તે પોતે હવે અનુસરવી જોઇએ. આમ મોદીની ચૂપકી પર હવે કોંગ્રેસ પછી શિવસેનાએ પણ ટિપ્પણી કરી છે.

modi

શિવસેના અને મનમોહન સિંહ

શિવસેનાએ કહ્યું કે મનમોહન સિંહે પીએમને સાચી સલાહ આપી છે. સમગ્ર દેશ તેમ વિચારે છે કે પીએમ તરીકે મોદીને ભારતના મુદ્દાઓ પર બોલવું જોઇએ. જો કે સાથે જ શિવસેનાએ કહ્યું કે મનમોહન સિંહે અડધુ સાચું કહ્યું છે. મોદી ખાલી ભારતમાં જ મૌની બાબા બની જાય છે.. વિદેશ જતાની સાથે જ તે આ મુદ્દે વાત કરવા લાગી જાય છે. તેમને ભારતમાં આ વિષે બોલવું ગમતું નથી. ભારતમાં બળાત્કાર થાય છે અને મોદી લંડનમાં તે પર વાત કરી છે. જે તેમના સંવેદનશીલ મગજનો એક ભાગ છે. તેમની અંદર અન્યાય વિરુદ્ધ જે આગની ચિંગારી છે તે વિકરાય આગનું સ્વરૂપ ખાલી વિદેશમાં જઇને લે છે.

મોદી પર કટાક્ષ

પીએમ મોદી પર વધુ કટાક્ષ કરતા શિવસેનાએ લખ્યુયં કે પીએમ તે વાતથી નાખુશ છે કે રેપ જેવા મુદ્દા રાજનૈતિક મુદ્દા બની ગયા છે. પણ નિર્ભયા કેસ મામલે તેમના વિચાર કંઇક અલગ હતા. સાથે જ શિવસેનાએ કહ્યું કે વિદેશોમાં આવા મુદ્દે બોલી પીએમ મોદી ભારતની છબી બહાર ખરાબ કરે છે. આ પહેલા પણ જાપાનમાં તેમણે કાળાં નાણાં અને ભષ્ટ્રાચાર મામલે વાત કરીને દેશની બહાર દેશનું નામ બગાડ્યું હતું.

માલ્યાને લઇને આવ્યા?

લેખમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે નિરવ મોદી દેશને લૂટીને બહાર ભાગી જાય છે. માલ્યા તો લંડનમાં જ છે. ત્યારે પીએમ તેવા દેશોમાં જઇ રહ્યા છે જે દેશોએ આવા લોકોને શરણ આપી છે. અને તે ત્યાંથી ખાલી હાથે પાછા ફરે છે. મોદી ભક્તોને પણ આ મુદ્દે તેમની આલોચના થવી પસંદ નથી. દેશની અર્થવ્યવસ્થા પડી રહી છે. પણ પીએમ વિદેશમાં જઇને પોતાની ભાવનાઓ કહે છે. હવે મનમોહન સિંહે બોલવાનું શરૂ કરી દીધુ છે અને મોદી મૌની બાબા બની ગયા છે. તેવામાં લાગે છે કે નસીબ ભાજપથી બદલો લઇ રહ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X