અમરિંદર સિંહનું મોટું નિવેદન, કહ્યું- મારી જગ્યાએ સીએમ બનવા માંગે છે સિદ્ધુ
અમરિંદર સિંહનું મોટું નિવેદન, કહ્યું- મારી જગ્યાએ સીએમ બનવા માંગે છે સિદ્ધુ
ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મોટું નિવેદન આપતા કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુ સાથે શબ્દોની કોઈ લડાઈ નથી, હું તેમને બાળપણથી જાણું છું, જો તેઓ મહત્વકાંક્ષી છે તો કોઈ વાત નથી, લોકોની મહત્વકાંક્ષાઓ હોય છે, તેમની સાથે મારા કોઈ વૈચારિક મતભેદ નથી, કદાચ તેઓ સીએમ બનવા માંગે છે અને મારી જગ્યા લેવા માગે છે, આ જ તેમનું કામ છે માટે તેઓ કંઈ પણ કહે છે. જણાવી દઈએ કે હાલના દિવોમાં સિદ્ધુ અને સીએમ અમરિંદર સિંહની વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી છે સિદ્ધુએ શુક્રવારે કેપ્ટન પર હુમલો બોલતાં રાજીનામું આપવાની ધમકી આપી હતી.

સીએમ અમરિંદર બોલ્યા- મારી જગ્યાએ મુખ્યમંત્રી બનવા માંગે છે સિદ્ધુ
પંજાબના મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ શુક્રવારે કહ્યું કે જો ધાર્મિક ગ્રંથોને અપવિત્ર કરવામાં સામેલ લોકોને સજા ન આપી તો તેઓ રાજીનામું આપી દેશે. તેમણે કેપ્ટન અમરિંદર સિંહનું નામ લીધા વિના જ આ હુમલો બોલ્યો હતો. તેમણે કહ્યું કે કેટલાક લોકો કહે છે કે સીટ ન મળતાં રાજીનાપું આપી દેશે. પરંતુ હું કહું છું કે જો અશિષ્ટતા કરનાર પર કાર્યવાહી ન થઈ તો હું રાજીનામું આપી દઈશ, ઉલ્લેખનીય છે કે સીએમ અમરિંદર સિંહે કહ્યું હતું કે જો પંજાબ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને જીત મળી તો તેઓ પોતાના પદથી રાજીનામું આપી દેશે.

નવજોત કૌરે સીએમ પર લગાવ્યો હતો ગંભીર આરોપ
પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુએ સીએમ અમરિંદર સિંહ પર આરોપ લગાવ્યો હતો કે તેમના કારણે જ લોકસભા સીટની ટિકિટ કાપવામાં આવી છે, તેમણે કહ્યું કે અમૃતસર સિવાય કોઈ બીજી સીટ વિશે મેં વાત નહોતી કરી.

ભઠિંડામાં મને કોઈ નથી ઓળખતુંઃ નવજોત કૌર
સીએમે મને અમૃતસરથી ટિકિટ ન આપતી, કેમકે તેમનું કહેવું છે કે દશેરાની ઘટનાથી મારી છબી ખરાબ થઈ છે, અમૃતસર મારી હોમ સીટ છે, જ્યારે મને ભટિંડામાં કોઈ ઓળખતું પણ નથી, તો હું ત્યાંથી શા માટે ચૂંટણી લડું, આ કેવો તર્ક છે.

સિદ્ધુ આપ્યો પત્નીનો સાથે
આ મામલે નવજોત સિંહ સિદ્ધુએ પણ પ્રતિક્રિયા આપી હતી અને તેમણે પોતાની પત્નીનો સાથ આપતા કહ્યું કે મારી પત્ની ક્યારેય જૂઠ નથી બોલતી કે નતો ક્યરેય બોલી શકે છે, આ મારો જવાબ છે.












Click it and Unblock the Notifications
