Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સજ્જનકુમારના વિરોધમાં સિખ પ્રદર્શનકારીઓએ સોનિયા ગાંધીના ઘરને ઘેર્યું

sonia-gandhi
નવી દિલ્હી, 2 મે : વર્ષ 1984માં થયેલા સિખ વિરોધી રમખાણોના કેસમં કોર્ટે સજ્જન કુમારને નિર્દોષ જાહેર કર્યા તેના વિરોધમાં સિખ પ્રદર્શનકારીઓએ કોંગ્રસ અધ્યક્ષા સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10 જનપથને ઘેરી લીધું છે. તેઓ અહીં ભારે જુસ્સામાં પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે કોંગ્રેસ પોતાની પાર્ટીના નેતાને બચાવી રહી છે.

અહીં પ્રદર્શનકારીઓએ બે બેરિકોડ તોડી નાખ્યા છે. તેમણે હાથમાં પુતળા અને બેનર લઇને સોનિયા ગાંધીની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અહીં મોટી સંખ્યામાં પોલીસફોર્સ ખડકી દેવામાં આવી છે. મધ્ય દિલ્હીમાં કેટલાક મહત્વના માર્ગોને અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી સોનિયા ગાંધીના ઘરે કે કોંગ્રેસ કાર્યાલયે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ પહોંચી શકે નહીં.

ઉલ્લેખનીય છે કે સીખ વિરોધી રમખાણોના એક કેસમાં સજ્જનકુમારને દોષમુક્ત જાહેર કરવામાં આવતા બુધવારથી સિખ પ્રદર્શનકારીઓએ જમ્મુ-કાશ્મીર રાજમાર્ગ રોકી લીધો હતો. તેમણે રાજધાની દિલ્હીની મેટ્રો રેલ સેવામાં પણ અવરોધ ઉભો કર્યો હતો. જેના કારણે સુભાષનગર અને તિલકનગરના મેટ્રો રેલ સ્ટેશન્સ બંધ કરવાની ફરજ પડી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X