દતિયાના રતન માતા મંદિરમાં નાસભાગ, 6ના મોત
નવી દિલ્હી, 13 ઓક્ટોબર: મધ્યપ્રદેશના દતિયા જિલ્લાના રતનગઢમાં રતન માતા મંદિરમાં નવરાત્રિ પર્વના આજે અંતિમ દિવસે માતાના દર્શન માટે હજારોની સંખ્યામાં પહોંચેલા શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચતાં ઓછામાં ઓછા 6 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાં છે અને લગભગ 50થી વધુ ઘાયલ થયા હોવાના સમાચાર છે. ઇજાગ્રસ્તોમાં 20 લોકોની હાલત ગંભીર છે.
પોલીસના જણાવ્યા અનુસાર નવરાત્રિ પર્વના આજે અંતિમ દિવસે સવારથી રતનગઢ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. પોલીસે મંદિર તરફ આગળ વધી રહેલા શ્રદ્ધાળુમાં વ્યવસ્થા બનાવી રાખવા માટે સામાન્ય બળ પ્રયોગ કરવામાં આવ્યો તો નાસભાગ મચી ગઇ અને બધા લોકો સિંધ નદી સ્થિત પુલ તરફ દોડ્યા. આ દરમિયાન રેલિંગ તૂટી ગઇ અને કેટલાક શ્રદ્ધાળુઓ નદીમાં પડી ગયા. નાસભાગ દરમિયાન કેટલાક શ્રદ્ધાળુઓ કચડાઇ ગયા હોવાની માહિતી મળી છે.

નાસભાગમાં મૃત્યું પામેલા અને ઇજાગ્રસ્ત શ્રદ્ધાળુઓ વિશે હજુ સુધી કોઇ આધિકારીક જાણકારી આપવામાં આવી નથી. ઘટનાસ્થળ પર રાહત તથા બચાવ કાર્ય ચાલુ છે. જિલ્લા વહિવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓના પહોંચ્ય બાદ કોઇ આધિકારીક સૂચના મળવાની સંભાવના નથી.
નાસભાગ બાદ જિલ્લા વહિવટી તંત્રના બધા વરિષ્ઠ અધિકારી ઘટનાસ્થળ માટે રવાના થઇ ચૂક્યા છે તથા નદીમાં મરજીવાઓ ડૂબેલા લોકોને શોધવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધી પાંચ લોકોની લાશ મળી છે, પરંતુ 20 થી 25 લોકો ગુમ છે. લગભગ 50 લોકો આ નાસભાગ ઘાયલ થયા હોવાની સૂચના છે. વહિવટી તંત્ર દ્વારા મંદિર તરફ લોકોને જતાં અટકાવવામાં આવતાં મંદિર તરફના માર્ગ પર વાહનોની લાંબી કતાર લાગી ગઇ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
