ચૂંટણી ખર્ચમાં જોડવામાં આવશે સોશિયલ મીડિયા પરની 'નેતાગીરી'
નવી દિલ્હી, 25 ઓક્ટોબર: ભારતીય ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં ઇંટરનેટ ખાસ કરીને સોશિયલ મીડિયાનો ઉપયોગ સામે કમર કસી લીધી છે. પંચે મુખ્ય ચૂંટણીપંચ અધિકારીઓ અને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય રાજનૈતિક દળોને આજે મોકલેલા પત્રમાં કહેવાયું છે કે ચૂંટણી સંબંધી તમામ કાયદા અન્ય સંચાર માધ્યમોની જેમ સોશિયલ મીડિયા પર પણ લાગુ પડશે.
ઉમેદવારોને ફોર્મ 26માં પોતાના ટેલિફોન નંબરો અને ઇમેઇલ આઇડી ઉપરાંત સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ જાણકારી આપવી પડશે. સોશિયલ મીડિયા હેઠળ વિકીપીડિયા, ટ્વિટર, યૂ ટ્યૂબ, ફેસબુક અને આ પ્રકારની અન્ય ઇન્ટરનેટ વેબસાઇટ ઉપરાંત એપ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પંચે પોતાના પત્રમાં કહ્યું કે ઉમેદવાર અને રાજનૈતિક દળો સંબંધિત અધિકારીઓને પ્રમાણન વગર પોતાની ચૂંટણી પ્રચાર સામગ્રી સોશિયલ મીડિયા સાઇટ સહિત ઇન્ટરનેટ પર જ મૂકી શકશે. તેણે સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા સહિત ઇંટરનેટ પર ચૂંટણી પ્રચારમાં થનાર ખર્ચને ઉમેદવારના ખર્ચમાં નાખવામાં આવશે.

પંચે સ્પષ્ટ કરી દીધું છે કે આદર્શ ચૂંટણી આચાર સંહિતાના પ્રાવધાન સોશિયલ મીડિયા સહિત ઇન્ટરનેટ પર પણ લાગૂ પડશે. તેને એવી ફરિયાદ પણ મળી છે કે ઉમેદવાર અને રાજનૈતિક દળ ચૂંટણી પ્રચાર માટે નકલી સોસિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. આ મુદ્દાથી વ્યાવહારિક રીતે નિપટવા માટે તે સંચાર અને સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રાલયનીસાથે ચર્ચા વિચારણા કરી રહી છે.












Click it and Unblock the Notifications
