For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી પ્રદૂષણ મામલે સુનાવણી દરમિયાન સામે આવ્યા કેટલાક રસપ્રદ ક્વોટ

બુધવારના રોજ સુપ્રીમ કોર્ટમાં દિલ્હીની વાયુ પ્રદૂષણની સુનાવણીમાં આરોપો, દલીલ અને ડ્રામા એક સાથે જોવા મળ્યું હતું. કારણ કે, કેન્દ્રએ સમજાવ્યું હતું કે, તે તેના કર્મચારીઓ માટે ઘરેથી કામ કરવાની તરફેણમાં નથી.

|
Google Oneindia Gujarati News

બુધવારના રોજ સુપ્રીમ કોર્ટમાં દિલ્હીની વાયુ પ્રદૂષણની સુનાવણીમાં આરોપો, દલીલ અને ડ્રામા એક સાથે જોવા મળ્યું હતું. કારણ કે, કેન્દ્રએ સમજાવ્યું હતું કે, તે તેના કર્મચારીઓ માટે ઘરેથી કામ કરવાની તરફેણમાં નથી, તે દર્શાવે છે કે, તે "વધુ લાભ અને અસરકારક હશે નહીં".

સોમવારના રોજ થયેલી છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને ઓછામાં ઓછા એક અઠવાડિયા માટે ઘરેથી કામ કરવા માટે વિચારવાનું કહ્યું હતું. આ સાથે ફેક્ટરીઓ, પરિવહન, ધૂળ અને પરાળ સળગાવવાના કેટલાક ભાગને કારણે પ્રદૂષણ મુખ્ય યોગદાન છે. તે પરિબળો પર સર્વોચ્ચ અદાલતે ભાર મૂક્યો હતો. જેમ જેમ સુનાવણી આગળ વધી રહી છે અને દિલ્હી સરકારે પણ વાર્ષિક માથાનો દુઃખાવો બની ગયેલી પ્રદુષણની સમસ્યાને નિયંત્રિત કરવા માટે લીધેલા પગલાંની સૂચિબદ્ધ કરી છે. જેનાથી કોર્ટ પ્રભાવિત થઈ નથી.

SC

અત્યાર સુધીની સુનાવણીમાં નોંધાયેલા ક્વોટ -

સોલિસિટર જનરલ : ટીવી પર એવી બીભત્સ ઘટનાઓ જોવા મળી રહી છે કે, મેં પરાળ સળગાવવા અંગે કોર્ટને ગેરમાર્ગે દોર્યું છે.

CJI રમણ (SGને જવાબ આપતા) : આ પ્રકારની ટીકાઓ થતી રહે છે. અમારુ અંતઃકરણ સ્પષ્ટ છે અને અમે સમાજના ભલા માટે કામ કરીએ છીએ.

SG એ CJI રમનાના જવાબમાં કહ્યું કે, 2 મહિનામાં પરાળ બાળવાનો મુદ્દો કોમન સેન્સની બાબત છે

સોલિસિટર જનરલ કહે છે : સામાન્ય જ્ઞાન ડિઓડરન્ટ જેવું છે. જેઓ તેનો ઉપયોગ કરતા નથી, પણ તેઓ અન્યને પીડા આપે છે.

CJI રમણ : અમે ખેડૂતોને દંડ કરવા માંગતા નથી. અમે રાજ્યોને વિનંતી કરી છે કે, તેઓ ખેડૂતોને પરાળ ન બાળવા માટે સમજાવે. શા માટે તમે વારંવાર આને ઉભા કરો છો?

CJI રમણ : તમે કોઈ મુદ્દાનો ઉપયોગ કરવા માંગો છો, પહેલા અવલોકન કરો અને પછી તેને વિવાદાસ્પદ બનાવો અને પછી માત્ર દોષની રમત રહેશે. ટીવીમાં થતી ચર્ચાઓ બાધા કરતાં વધુ પ્રદૂષણ પેદા કરી રહી છે. દરેકનો પોતાનો એજન્ડા હોય છે. તેઓ કશું સમજતા નથી.

જસ્ટિસ કાંત : મહેરબાની કરીને ખેડૂતોની દુર્દશા જુઓ અને તેઓ આ વૈજ્ઞાનિક પદ્ધતિઓ કેમ અનુસરી શકતા નથી. દિલ્હીમાં 5 કે 7 સ્ટાર હોટલમાં બેઠેલા લોકો પ્રદુષણમાં 30 થી 40 ટકા ફાળો કેવી રીતે આપે છે, તેની ટીકા કરે છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં સરકાર પર વાયુ પ્રદૂષણનો ઉકેલવામાં ગંભીરતા નહિ દર્શાવવાની વાત કહેવામાં આવી છે અને વાયુ ગુણવત્તા મેનેજમેન્ટ પંચને અદાલતના નિરીક્ષણમાં લાવવાની માંગ કરવામાં આવી છે. જેના પર સુનાવણી થઈ રહી છે. સીજેઆઈ એનવી રમના, જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટીસ સૂર્યકાંતની બેંચ કેસની સુનાવણી કરી રહી છે.

English summary
Some interesting quotes came up during the hearing of the Delhi pollution case in supreme court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X