સોનિયા ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી મીટિંગ, કોરોનાની સ્થિતિ પર થઈ ચર્ચા
દેશમાં કોરોના મહામારીથી બેકાબૂ થતી સ્થિતિ પર ચર્ચા કરવા માટે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે એક મીટિંગ આયોજિત કરી.
નવી દિલ્લીઃ દેશમાં કોરોના મહામારીથી બેકાબૂ થતી સ્થિતિ પર ચર્ચા કરવા માટે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે એક મીટિંગ આયોજિત કરી. વર્ચ્યુઅલ રીતે થયેલી આ મીટિંગમાં કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી શામેલ થયા. આ ઉપરાંત આ મીટિંગમાં રાહુલ ગાંધી પણ શામેલ થયા. માહિતી મુજબ આ બેઠકમાં કોંગ્રેસ શાસિત રાજ્યોમાં વધતા કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી.
વેક્સીન અને વેંટિલેટરની ઉપલબ્ધતા પર થઈ ચર્ચા
આ મીટિંગમાં સોનિયા ગાંધીએ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં વેક્સીન અને વેંટિલેટરની ઉપલબ્ધતા પર ચર્ચા કરી. સાથે જ કોરોના સામે લડાઈને કેવી રીતે જીતી શકાય તેના પર પણ ચર્ચા કરી. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યુ કે સોનિયા ગાંધીજીએ આ બેઠકમાં રસી, દવાઓ અને વેંટિલેટરની ઉપલબ્ધતા સહિત કોવિડ-19 સામે લડવાના પ્રયાસોની સમીક્ષા કરી. આ મીટિંગમાં સૌથી વધુ પ્રાથમિકતા ટેસ્ટિંગ અને ટ્રેકિંગ પર રહી.
રાહુલ ગાંધીએ પીએમ મોદીને લખ્યો પત્ર
તમને જણાવી દઈએ કે આ બેઠક બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીએ એક પત્ર લખ્યો છે જેમાં તેમણે એ માંગ કરી છે કે હવે દેશમાં વેક્સીનેશન દરેક વ્યક્તિ માટે શરૂ કરી દેવામાં આવે. તમને જણાવી દઈએ કે દેશમાં 45 વર્ષથી ઉપરના લોકો માટે વેક્સીન ઉપલબ્ધ કરાવાઈ રહી છે.
તમને જણાવી દઈએ કે શનિવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા કોરોનાના નવા કેસ 1 લાખ 45 રહ્યા, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. ત્યારબાદ દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 1,32,05,926 સુધી પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે આ સતત ચોથી વાર છે જ્યારે દેશમાં નવા દર્દીઓની સંખ્યા 1 લાખને પાર ગઈ છે.
દિલ્લીમાં બચ્યો છે માત્ર 7-10 દિવસનો ડોઝઃ સીએમ કેજરીવાલ