સપા નેતાનું વિવાદિત નિવેદન, અમર સિંહને દલાલ ગણાવ્યો

સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને રાજ્યસભા સદસ્ય અમર સિંહ ઘ્વારા લખનવમાં મુલાયમ સિંહ અને આઝમ ખાન પર પ્રહાર કરવામાં આવ્યો હતો.

સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને રાજ્યસભા સદસ્ય અમર સિંહ ઘ્વારા લખનવમાં મુલાયમ સિંહ અને આઝમ ખાન પર પ્રહાર કરવામાં આવ્યો હતો. ત્યારપછી સમાજવાદી પાર્ટીના નેતાઓ અમર સિંહને આડે હાથ લઇ રહ્યા છે. સમાજવાદી અલ્પસંખ્યક સભાના પ્રદેશ ઉપાધ્યક્ષ સયાદ અલી ઘ્વારા અમર સિંહ પર પ્રહાર કરવામાં આવ્યો છે. તેમને અમર સિંહને દલાલ અને જયાપ્રદા ને નાચવાવાળી કહ્યા છે.

sp leader syad ali

બલિયામાં સપા કાર્યકર્તાઓને મળવા પહોંચેલા સમાજવાદી અલ્પસંખ્યક સભાના પ્રદેશ ઉપાધ્યક્ષ સયાદ અલી સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને રાજ્યસભા સદસ્ય અમર સિંહને દલાલ કહી બેઠા. સપા નેતા સયાદ અલી ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમર સિંહ કોઈ નેતા નથી, પરંતુ તેઓ ફક્ત સત્તા પક્ષની દલાલી કરે છે. સપા નેતા સયાદ અલી અહીંથી અટક્યા નથી તેમને વિવાદિત નિવેદન આપતા આગળ કહ્યું કે જયાપ્રદા નાચવા ગાવા વાળી છે.

સપા નેતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે મુલાયમ સિંહ યાદવ રાજનીતિમાં અમર સિંહને આગળ લઈને આવ્યા પરંતુ અમર સિંહ એ તેમના જ ઘરમાં આગ લગાવી. અમર સિંહને પડકાર આપતા સપા નેતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો અમર સિંહ આઝમગઢના હોય તો આઝમગઢમાં ચૂંટણી લડીને બતાવે. મુલાયમ સિંહ યાદવની દરિયાદિલી વિશે જણાવતા સપા નેતાએ કહ્યું કે ફુલન દેવી જેવી ડાકુને પણ મુલાયમ સિંહ યાદવે જમીનથી આકાશ પર પહોંચાડી કારણકે તે મહિલા સાથે અન્યાય થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X