ISISએ આપી શ્રીશ્રી રવિશંકરને જાનથી મારવાની ધમકી
બેંગલુરુ, 29 માર્ચ: દુનિયાના સૌથી ખતરનાખ આતંકવાદી સંગઠન આઇએસઆઇએસે આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશ્રી રવિશંકરને જાનથી મારવાની ધમકી આપી છે. આ ધમકી તેમને એ સમયે આપવામાં આવી જ્યારે તેઓ મલેશિયામાં પોતાની એક શિબિરનું આયોજન કરી રહ્યા હતા.
મલેશિયાના પેનાંગમાં હોટલ જેનના મેનેજરને એક પત્ર મળ્યો, જેમાં આઇએસઆઇએસે સ્પષ્ટ ચેતાવણી આપી હતી કે જો હોટલ શ્રી શ્રી રવિ શંકરને પોતાના ત્યાં રોકાવા દેશે તો તેનું પરિણામ ભોગવવું પડી શકે છે. તે જ કવરમાં એક પત્ર શ્રી શ્રીને જાનથી મારવાની ધમકી પણ લખવામાં આવી હતી.
બેંગલુરુ સ્થિત આર્ટ ઓફ લિવિંગ સેંટરની પીઆરઓ માનસી ધર્મરાજે જણાવ્યું કે મલેશિયામાં ચાલી રહેલ શિબિરમાં લગભગ 10 હજાર લોકોએ ભાગ લીધો. તે દરમિયાન ધમકી ભર્યા પત્રો મળ્યા. આ સંબંધમાં ભારતીય દૂતાવાસ અને સ્થાનીય પોલીસને સૂચિત કરી દેવામાં આવ્યા છે.
શ્રી શ્રી રવિશંકરને ધમકીભર્યા પત્રો...

ધમકીભર્યા પત્રો
આગળ તસવીરોમાં આપ એ પત્રોને જોઇ શકશો જેમાં શ્રી શ્રી રવિશંકરને ધમકી આપવામાં આવી છે.

આ પત્ર હોટલને મોકલવામાં આવ્યો
આ પત્રમાં હોટલને ધમકી આપવામાં આવી છે કે જો શ્રી શ્રી રવિશંકર અહીં રોકાયા તો પરિણામ ખરાબ આવશે.

હોટલને પત્ર
અરબી ભાષામાં હોટલને મોકવામાં આવેલ આ પત્રમાં સર કલમ કરતી તસવીરો પણ છે.

આઇએસઆઇએસનો પત્ર
આ પત્ર શ્રી શ્રીના નામથી મોકલવામાં આવ્યો છે. તેમાં સર કલમ કરતી તસવીરો પણ છે.

મલેશિયામાં કેમ્પ
મલેશિયામાં ચાલી રહ્યો છે શ્રીશ્રીનો કેમ્પ. આ કેમ્પ દરમિયાન મળી ધમકી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
