શ્રીલંકાની નૌસેનાએ 9 ભારતીય માછીમારોની ધરપકડ કરી
શ્રીલંકાની નૌસેનાએ 9 ભારતીય માછીમારોની ધરપકડ કરી તેમને હાલમાં હિરાસતમાં લેવામાં આવ્યા છે.
શ્રીલંકાની નૌસેનાએ 9 ભારતીય માછીમારોની ધરપકડ કરી તેમને હાલમાં હિરાસતમાં લેવામાં આવ્યા છે. આ માછીમારોની કરાઈનગર નેવલ કેમ્પ પર પૂછપરછ ચાલી રહી છે. પરંતુ હજુ સુધી આ બાબતે જાણકારી નથી મળી શકી કે આ માછીમારોને શ્રીલંકાના સમુદ્રી વિસ્તારમાં પ્રવેશ કરવાને કારણે પકડવામાં આવ્યા છે કે પછી તેની પાછળ બીજી કોઈ કારણ છે. બધા માછીમારોની પૂછપરછ ચાલી રહી છે.
આપણે જણાવી દઈએ કે આ પહેલા શ્રીલંકા કોર્ટે 8 ભારતીય માછીમારોને 7 જાન્યુઆરીએ આઝાદ કરી દીધા હતા. આ બધા જ માછીમારોને શ્રીલંકાની નૌસેનાએ પકડ્યા હતા. આ માછીમારોના નામ સેલ્વમ, દિનેશ, કોવિંદરાજ અને ઇરુલાન્ડી છે. આ બધા જ માછીમારોની ધરપકડ કર્યા પછી તેમને નૌસેના કેમ્પ લાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ આ પહેલા જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં પણ 12 માછીમારોની શ્રીલંકાની નૌસેનાએ ધરપકડ કરી હતી. આ માછીમારોને શ્રીલંકાના સમુદ્રી ક્ષેત્રમાં આવવાને કારણે પકડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ડેમમાંથી પકડાઇ 52 કિલોની માછલી, જોવા માટે ઉમટી ભીડ