Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શ્રીલંકાની નૌસેનાએ 9 ભારતીય માછીમારોની ધરપકડ કરી

શ્રીલંકાની નૌસેનાએ 9 ભારતીય માછીમારોની ધરપકડ કરી તેમને હાલમાં હિરાસતમાં લેવામાં આવ્યા છે.

શ્રીલંકાની નૌસેનાએ 9 ભારતીય માછીમારોની ધરપકડ કરી તેમને હાલમાં હિરાસતમાં લેવામાં આવ્યા છે. આ માછીમારોની કરાઈનગર નેવલ કેમ્પ પર પૂછપરછ ચાલી રહી છે. પરંતુ હજુ સુધી આ બાબતે જાણકારી નથી મળી શકી કે આ માછીમારોને શ્રીલંકાના સમુદ્રી વિસ્તારમાં પ્રવેશ કરવાને કારણે પકડવામાં આવ્યા છે કે પછી તેની પાછળ બીજી કોઈ કારણ છે. બધા માછીમારોની પૂછપરછ ચાલી રહી છે.

fishermen

આપણે જણાવી દઈએ કે આ પહેલા શ્રીલંકા કોર્ટે 8 ભારતીય માછીમારોને 7 જાન્યુઆરીએ આઝાદ કરી દીધા હતા. આ બધા જ માછીમારોને શ્રીલંકાની નૌસેનાએ પકડ્યા હતા. આ માછીમારોના નામ સેલ્વમ, દિનેશ, કોવિંદરાજ અને ઇરુલાન્ડી છે. આ બધા જ માછીમારોની ધરપકડ કર્યા પછી તેમને નૌસેના કેમ્પ લાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ આ પહેલા જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં પણ 12 માછીમારોની શ્રીલંકાની નૌસેનાએ ધરપકડ કરી હતી. આ માછીમારોને શ્રીલંકાના સમુદ્રી ક્ષેત્રમાં આવવાને કારણે પકડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ડેમમાંથી પકડાઇ 52 કિલોની માછલી, જોવા માટે ઉમટી ભીડ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X