વિશાખાપટ્ટનમઃ ગાંધી જયંતિના એક દિવસ પહેલા તોડી ‘બાપૂ' ની પ્રતિમા
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 150 માં જન્મદિવસ પહેલા આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમના મધુરવાડા વિસ્તારમાં અજ્ઞાત તોફાની તત્વોએ મહાત્મા ગાંધીની એક મૂર્તિની તોડફોડ કરી દીધી છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 150 માં જન્મદિવસ પહેલા આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમના મધુરવાડા વિસ્તારમાં અજ્ઞાત તોફાની તત્વોએ મહાત્મા ગાંધીની એક મૂર્તિની તોડફોડ કરી દીધી છે. ઘટના બાદ લોકોમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે. દેશમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ તોડવાનો સિલસિલો ચાલુ છે. આ પહેલા એપ્રિલ મહિનામાં રાજસ્થાનના રાજસમંદના નાથદ્વારમાં બાપૂની પ્રતિમા સાથે છેડછાડ કરવામાં આવી હતી.

ગઈ રાતે કેટલાક અરાજક તત્વોએ ગાંધીજીની મૂર્તિ સાથે છેડછાડ કરી. મૂર્તિના જમણા હાથને ક્ષતિગ્રસ્ત કરી દીધો છે. ખાસ વાત એ છે કે જ્યાં ગાંધીજીની મૂર્તિ રાખવામાં આવી હતી ત્યાં પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, ભીમરાવ આંબેડકર ઉપરાંત સુભાષચંદ્ર જેવા મહાપુરુષોની મૂર્તિઓ રાખેલી હતી. અરાજક તત્વોએ માત્ર ગાંધીજીની મૂર્તિને નુકશાન પહોંચાડ્યુ.
આ પહેલા 27 સપ્ટેમ્બરે પણ કોચ્ચિમાં એક વ્યક્તિએ મૂર્તિ તોડી હતી. જો કે આ મામલે પોલિસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. છેલ્લા કેટલાક મહિનાઓમાં દેશના અલગ અલગ ભાગોમાં ઘણા મહાપુરુષોની પ્રતિમાઓ તોડી દેવામાં આવી છે. તેમાં ત્રિપુરામાં લેનિનની મૂર્તિ, તમિલનાડુમાં પેરિયાર અને ઉત્તરપ્રદેશમાં ભીમરાવ આંબેડકરની મૂર્તિને નુકશાન પહોંચાડવામાં આવ્યુ છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
