કેજરીવાલ પર જનસભા દરમિયાન ફેંકાયો પત્થર
નવી દિલ્હી, 28 ડિસેમ્બર: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર શનિવારે એક જનસભા દરમિયાન એક યુવકે પત્થર ફેંક્યો. પાર્ટીના એક સભ્યએ આ જાણકારી આપી. આપના એક સૂત્રએ આઇએએનએસને જણાવ્યું કે ઘટના શનવારે સાંજે 6.45 વાગ્યે, જ્યારે અરવિંદ દક્ષિણી દિલ્હીના દેવલી વિસ્તારમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા.
જોકે અરવિંદ કેજરીવાલને આ પત્થર વાગ્યો નહીં, કારણ કે મંચ સામાન્ય લોકોના બેસવાના સ્થળેથી ખૂબ જ દૂર હતો. પોલીસે તુરંત યુવકને પકડી પાડ્યો અને નેબસરાય પોલીસ સ્ટેશન લઇ ગઇ.

One person threw a stone at me in deoli jansabha today. BJP so scared? Resorting to violence? I wish well for the boy who did it.
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 27, 2014 અરવિંદે ટ્વિટર પર આગળ લખ્યું કે 'અમારી ઉપર પત્થર અને જૂતા ફેંકનારા લોકો પ્રત્યે અમારા મનમાં કોઇ દુર્ભાવના નથી, અમે તે તમામને શુભેચ્છાઓ આપીએ છીએ.'












Click it and Unblock the Notifications
