શાહીન બાગમાં બનાવાઈ રહ્યો છે સુસાઈડ બૉમ્બરનો જથ્થોઃ ગિરિરાજ સિંહ
શાહીન બાગના પ્રદર્શનકારીઓ વિશે વિવાદિત નિવેદનબાજી પણ સામે આવી છે. આમાં આગલુ નામ મોદી સરકારના મંત્રી અને બેગુસરાયના ભાજપ સાંસદ ગિરિરાજ સિંહનુ નામ જોડાઈ ગયુ છે.
શાહીન બાગમાં નાગરિકતા સુધારા કાયદા સામે થઈ રહેલ પ્રદર્શન દિલ્લી વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ મોટો મુદ્દો બની રહ્યો છે. આ અંગે ભાજપના ઘણા નેતા સતત આરોપ લગાવી રહ્યા છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ષડયંત્ર હેઠળ શાહીન બાગમાં પ્રદર્શન કરી રહ્યા છે. વળી, શાહીન બાગના પ્રદર્શનકારીઓ વિશે વિવાદિત નિવેદનબાજી પણ સામે આવી છે. આમાં આગલુ નામ મોદી સરકારના મંત્રી અને બેગુસરાયના ભાજપ સાંસદ ગિરિરાજ સિંહનુ નામ જોડાઈ ગયુ છે.

ત્યાં સુસાઈડ બૉમ્બરનો જથ્થો બનાવવામાં આવી રહ્યો છેઃ ગિરિરાજ
દિલ્લી ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપના નિશાના પર શાહીન બાગ છે. ગિરિરાજ સિંહે શાહીન બાગના પ્રદર્શન વિશે વિવાદિત નિવેદન આપ્યુ છે. ભાજપ સાંસદે ટ્વિટ કરીને કહ્યુ, આ શાહીન બાગ હવે માત્ર આંદોલન નથી રહી ગયુ... અહીં સુસાઈડ બૉમ્બરનો જથ્થો બનાવવામાં આવી રહ્યો છે. દેશની રાજધાનીમાં દેશની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે.
|
અમિત માલવીયે પણ લગાવ્યા હતા આરોપ
આ પહેલા ભાજપ આઈટી સેલના હેડ અમિત માલવીયએ એક વીડિયો ટ્વિટ કરીને આરોપ લગાવ્યો હતો કે આ મહિલાઓને ધરણા કરવા માટે પૈસા આપવામાં આવી રહ્યા છે. ત્યારબાદ પ્રદર્શનકારી મહિલાઓએ અમિત માલવીયને અપમાનની નોટિસ મોકલી હતી. નાગરકિતા સુધારા કાયદા અને એનઆરસી માટે શાહીન બાગ વિસ્તારમાં 15 ડિસેમ્બરથી મુસ્લિમ મહિલાઓ ધરણા પર બેઠી છે. મહિલાઓનુ આ ધરણા પ્રદ્રશન સતત સમાચારોમાં છવાયેલુ છે. પ્રદર્શન કરી રહેલી આ મહિલાઓની માંગ છે કે સરકાર નાગરિકતા સુધારા કાયદો પાછો લે.

શાહીન બાગમાં પ્રદર્શનના નામે અવ્યવસ્થા ફેલાવાઈ રહીઃ યોગી આદિત્યનાથ
આ પહેલા યુપીના સીએમ યોગી આદિત્યનાથે શાહીન બાગના પ્રદર્શન વિશે આમ આદમી પાર્ટી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યુ હતુ. યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે શાહીન બાગમાં પ્રદર્શનના નામે દિલ્લીમાં અવ્યવસ્થા ફેલાવાઈ રહી છે. તેમણે કેજરીવાલ પર નિશાન સાધીને કહ્યુ કે અનુચ્છેદ 370 હટવાથી કેજરીવાલ અને પાકિસ્તાનને સૌથી વધુ તકલીફ છે. હવે કેજરીવાલ શાહીન બાગમાં અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે કહ્યુ કે કેજરીવાલને શાહીન બાગમાં બિરયાની ખવડાવવાથી ફૂરસદ નથી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
