પંજાબના આગામી મુખ્યમંત્રી તરીકે સુખજિંદર રંધાવાનું નામ પ્રસ્તાવિત
કોંગ્રેસે આગામી મુખ્યમંત્રી તરીકે પંજાબના કેબિનેટ મંત્રી સુખજિંદર રંધાવાનું નામ સૂચવ્યું છે. જો કે, હજૂ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
કોંગ્રેસે આગામી મુખ્યમંત્રી તરીકે પંજાબના કેબિનેટ મંત્રી સુખજિંદર રંધાવાનું નામ સૂચવ્યું છે. જો કે, હજૂ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કારણ કે, બેઠકમાં હાજર અંબિકા સોની સાથે નવી દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસી પર ચર્ચા ચાલી રહી છે.

પંજાબના ધારાસભ્યોની બેઠક રવિવારના રોજ અમરિંદર સિંહે રાજીનામું આપ્યાના એક દિવસ બાદ રાજ્ય પાર્ટી એકમમાં મહિનાઓની હંગામા બાદ આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય પ્રીતમ કોટભાઈએ ANIને જણાવ્યું કે, તમામ ધારાસભ્યોએ કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ મુખ્યમંત્રી માટે સુખજિંદર રંધાવાનું નામ આપ્યું છે અને તેઓ મુખ્યમંત્રી બનશે.
સુખજિંદર રંધાવા પંજાબ રાજ્યના કેબિનેટ મંત્રી છે, જેમની પાસે જેલ અને સહકારીનો હવાલો છે. રવિવારના રોજ બેઠકો વચ્ચે મીડિયા વ્યક્તિઓ સાથે વાતચીત કરતા સુખજિંદર રંધાવાએ જણાવ્યું હતું કે, તેમણે કોઈ પણ પોસ્ટ પછી ક્યારેય હેન્કરિંગ કર્યું નથી. પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ પર નિશાન સાધતા સુખજિંદરે કહ્યું, એક મુખ્યમંત્રી (તેમના હોદ્દા પર) તે સમય સુધી જ રહે છે, જ્યારે તેમની પાર્ટી રાજ્યના લોકો તેમની સાથે ઉભા રહે."
62 વર્ષીય કોંગ્રેસ નેતા ત્રણ વખત ધારાસભ્ય છે અને હાલમાં ડેરા બાબા નાનક વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના પિતા સંતોખ સિંહે બે વખત પંજાબ કોંગ્રેસના વડા તરીકે સેવા આપી હતી. સુખજિંદર સિંહ રંધાવા પણ આ પદ પર રહ્યા છે.
શનિવારના રોજ કોંગ્રેસ વિધાનમંડળની બેઠક મળી અને સોનિયા ગાંધીને આગામી મુખ્યમંત્રી પસંદ કરવા વિનંતી કરી હતી. શનિવારના રોજ મોડી રાતના હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ રાહુલ ગાંધી તરફથી કોંગ્રેસ નેતા અંબિકા સોનીને ઓફર મળી હતી, જેને અંબિકા સોનીએ એમ કહીને ફગાવી દીધી હતી કે, પક્ષને પંજાબના મુખ્યમંત્રી તરીકે શીખ ચહેરાની જરૂર છે.
અંબિકા સોનીએ મુખ્યમંત્રી બનવાનો કર્યો ઇન્કાર
સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોંગ્રેસ સાંસદ અંબિકા સોનીએ પંજાબના મુખ્યમંત્રી બનવા માટે પાર્ટી હાઇકમાન્ડની ઓફરનો અસ્વીકાર કર્યો છે. સોનીએ કથિત રીતે કહ્યું કે, તે આવા સમયે મુખ્યમંત્રી બનવા માંગતી નથી અને પંજાબમાં માત્ર એક શીખને જ મુખ્યમંત્રી બનાવવો જોઈએ.
ચંદીગઢમાં સુનીલ જાખરને મળ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય કુલદીપ સિંહ વૈદના જણાવ્યા મુજબ અમે સોનિયા ગાંધીના આદેશની રાહ જોઈ રહ્યા છીએ. ત્યારબાદ ટૂંક સમયમાં CPLની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા પાછળ એક પૃષ્ઠભૂમિ અને મુદ્દાઓ છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
