'ગાંધી પરિવારનો આ અવસરે આભારી છુ....', હિમાચલ પ્રદેશના સીએમ તરીકે પંસદ થયા બાદ સિખવિંદરે આપ્યું નિવેદન
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવેલ સુખવિંદર સિંહ સુ્ક્ખુએ કહ્યુ હતુ કે, મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે કોગ્રેસ અને ગાંધી પરિોવારનો આભારી છુ. સુખવિંદર સિંહ શુક્ખએ કહ્યુ કે તેમને એ વાતની ખુશી છે કે, એક
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવેલ સુખવિંદર સિંહ સુ્ક્ખુએ કહ્યુ હતુ કે, મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે કોગ્રેસ અને ગાંધી પરિોવારનો આભારી છુ. સુખવિંદર સિંહ શુક્ખૂએ કહ્યુ કે તેમને એ વાતની ખુશી છે કે, એક સાધારણ પરિવારના હોવા છતા તેમને હિમાંચલ પ્રદેશના મુખ્યમત્રી બનાવવામાં આવી રહ્યા છે. સુખવિંદર સિંહ વધુમાં જણાવ્યુ હતુ કે, "મને એ વાતની ખુશી છે કે, હું સારાધરણ પરિવારનો હોવા છતા સીએમ બનવા જઇ રહ્યો છુ. મને આ તક આપવા માટે હું કોગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવારનો આભાર માનુ છુ. મારી મા એ મને રાજનીતિમાં આવતા ક્યારેય નથી રોક્યો. તેમના આશિર્વાદને લીધે આજે અહીં સુધી પહોંચી શક્યો છુ.
હિમાચલ પ્રદેશ કોગ્રેસ પ્રમુખ પ્રતિભઆ સિંહના અસંતોષ વિશે પુછવામાં આવતા સુખવિંદરે સિહે કહ્યુ કે, "આવો કોઇ જ અસંતોષ નથી" જણાવી દઇ કે, આ પહેલા પ્રતિભઆસિંહના સમર્થકોએ મુખ્યમંત્રી બનાવવાની માંગને લઇને સૂત્રોચ્ચાર કર્યો હતો.
શનિવારે શિમલામાં સુખવિંદરસિંહે તેમના સમર્થનનું જોરદાર સ્વાગત કર્યુ હતુ 58 વર્ષિય સુખવિદર સિંહે ચૂંટણી બાદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. અને કહ્યુ કે, પાર્ટી પોતાના ચૂંટણી વચનોને પુરા કરશે. નવી સરકાર હિમાચલમાં બદલાવ લાવશે.