Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલને સુપ્રિમ કોર્ટે ન આપી રાહત, 29 એપ્રિલે થશે સુનાવણી
Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટ દ્વારા સોમવારના રોજ કથિત આબકારી નીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડને પડકારતી દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની અરજી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી જવાબ માંગવામાં આવ્યો હતો.
જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેચે અરવિંદ કેજરીવાલની અરજી પર EDને નોટિસ જાહેર કરી હતી, જે દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી હતી. જેમણે કેસમાં તેમની ધરપકડને સમર્થન આપ્યું હતું.
ખંડપીઠે EDને અરજી પર 24 એપ્રિલ સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. બેચે જણાવ્યું હતું કે, આ કેસની સુનાવણી 29 એપ્રિલથી શરૂ થતા સપ્તાહમાં થશે. મતલબ કે અરવિંદ કેજરીવાલે હાલ પૂરતું જેલમાં રહેવું પડશે. કેજરીવાલ હાલ તિહાડ જેલમાં બંધ છે.
હાઈકોર્ટે 9 એપ્રિલના રોજ મની લોન્ડરિંગ કેસમાં કેજરીવાલની ધરપકડને સમર્થન આપ્યું હતું. વારંવાર સમન્સ જાહેર કરવામાં આવ્યા બાદ અને તપાસમાં જોડાવાનો ઇન્કાર કર્યા પછી ED પાસે થોડા વિકલ્પો બાકી હતા.
હાઈકોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા કેજરીવાલની ED દ્વારા તેમની ધરપકડ અને ત્યારપછી ફેડરલ એજન્સીની કસ્ટડીમાં મોકલવાને પડકારતી અરજીને ફગાવી દીધી હતી.
ઉલ્લેખીય છે કે, આ કેસ 2021-22 માટે દિલ્હી સરકારની આબકારી નીતિની તૈયારી અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે. સંબંધિત પોલિસી બાદમાં રદ કરવામાં આવી હતી.

અત્રે નોંધનીય બાબત છે કે, ઈડીએ 21 માર્ચના રોજ કેજરીવાલની ધરપકડ કરી હતી, જ્યારે હાઈકોર્ટે તેમને મની લોન્ડરિંગ વિરોધી એજન્સી દ્વારા શિક્ષાત્મક કાર્યવાહીથી રક્ષણ આપવાનો ઈન્કાર કર્યો હતો.
ભગવંત માન કેજરીવાલને જેલમાં મળ્યા - પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન સોમવારના રોજ તિહાડ જેલમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને મળ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે, AAP વડાને સખ્તાઇના ગુનેગારોને ઉપલબ્ધ સુવિધાઓ પણ આપવામાં આવી રહી નથી.
ભગવંત માને જણાવ્યું હતું કે, તેઓ અડધા કલાક સુધી અરવિંદ કેજરીવાલને મળ્યા હતા, પરંતુ તેમની વચ્ચે કાચની દિવાલ હતી અને બંને નેતાઓ વચ્ચે ફોન કોલ્સ દ્વારા વાતચીત થઈ હતી.
ભગવંત માને કહ્યું, તેમને જોઈને હું ભાવુક થઈ ગયો. તેમની સાથે કઠોર ગુનેગાર જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, તેમનો શું વાંક છે? શું તેમની ભૂલ છે કે, તેમણે મોહલ્લા ક્લિનિક્સ બનાવ્યા?
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલે તેમને વિપક્ષી ગઠબંધન INDIA ગઠબંધનના ઉમેદવારો માટે પ્રચાર કરવા માટે વિવિધ સ્થળોની મુલાકાત લેવા જણાવ્યું છે.












Click it and Unblock the Notifications
