Supreme Court On Bulldozer : દેશમાં કોઈપણ બુલડોઝર કાર્યવાહી સુપ્રીમ કોર્ટને પુછ્યા વગર ન થાય, યુપી સરકારને આદે
Supreme Court On Bulldozer : બુલડોઝરવી લોકોના ઘર તોડવા માટે કુખ્યાત યુપીની યોગી આદિત્યનાથ સરકારને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે.
લોકોના ઘર તોડીને રાજનીતિ કરતા યોગી આદિત્યનાથ અને તેમની સરકારને કોઈપણ બુલડોઝર કાર્યવાહી કરતા પહેલા સુપ્રીમ કોર્ટની પરવાનગી લેવા આદેશ કરાયો છે.

સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશમાં બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે. હવે સુપ્રીમ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી 1 ઓક્ટોબરે થશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આગામી સુનાવણી સુધી અમારી પરવાનગી લીધા પછી જ કાર્યવાહી કરવામાં આવે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે બુલડોઝર ન્યાયનું મહિમામંડન બંધ થવુ જોઈએ.
સુપ્રીમ કોર્ટના નિર્દેશને યુપીની યોગી આદિત્યનાથ સરકાર માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. જમીયત ઉલેમા-એ-હિંદે રાજ્યમાં બુલડોઝરની કાર્યવાહી સામે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટની સૂચના બાદ હવે 1 ઓક્ટોબર સુધી બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ સૂચના રસ્તાઓ, ફૂટપાથ અથવા રેલ્વે લાઇનને બ્લોક કરીને કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ પર લાગુ થશે નહીં.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ તે બુલડોઝરની કાર્યવાહી અંગે દેશભરમાં લાગુ કરવા માટેની માર્ગદર્શિકા બનાવશે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથનની બેન્ચે આરોપીઓની ઈમારતોને શિક્ષાત્મક પગલા તરીકે તોડી પાડવાની કાર્યવાહી વિરુદ્ધ અલગ-અલગ રાજ્ય સરકારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ નિર્દેશ આપ્યો.
સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપતા કહ્યું કે 1 ઓક્ટોબર સુધી અમારી પરવાનગી વિના દેશમાં ક્યાંય પણ બુલડોઝરની કાર્યવાહી નહીં થાય.
અરજદાર ઉલેમા-એ-હિંદ તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ શાસિત રાજ્યોમાં મુસ્લિમોને નિશાન બનાવીને બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટના આદેશ સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે અધિકારીઓના હાથ આ રીતે બાંધી શકાય નહીં.
બેન્ચે કોઈ પણ પ્રકારની ઉદારતાનો ઇનકાર કર્યો અને કહ્યું કે જો ડિમોલિશનને એક અઠવાડિયા માટે અટકાવવામાં આવે તો આકાશ નહીં પડી ભાંગે.
ખંડપીઠે કહ્યું કે તેણે બંધારણની કલમ 142 હેઠળ તેની વિશેષ શક્તિઓનો ઉપયોગ કરીને આ નિર્દેશ પસાર કર્યો છે. જસ્ટિસ વિશ્વનાથને સુનાવણી દરમિયાન કહ્યું કે જો ગેરકાયદેસર તોડી પાડવાનું એક પણ ઉદાહરણ છે તો તે બંધારણની ભાવના વિરુદ્ધ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
