રખડતા કુતરાઓ અંગેનો Supreme Courtનો ચુકાદો અનામત, જાણો શું કહ્યું?
Supreme Court hearing on Stray Dogs in Delhi: ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં રખડતા કૂતરાઓ સંબંધિત મુદ્દા પર સુનાવણી પૂર્ણ થઈ હતી. આ કેસના જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એનવી અંજારિયાની ખાસ બેન્ચે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય અનામત રાખ્યો છે.

Delhi Government: દિલ્હી સરકારે ગુરુવારે (14 ઓગસ્ટ, 2025) સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, દેશમાં દર વર્ષે કૂતરા કરડવાથી 18 હજારથી વધુ મૃત્યુ થઈ રહ્યા છે. આ દરમિયાન, દિલ્હી સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ 11 ઓગસ્ટના આદેશનો વિરોધ કરનારાઓ પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે કેટલાક લોકો અહીં માંસ ખાઈને પોતાને એનિમલ લવર ગણાવી રહ્યા છે.
11 ઓગસ્ટના રોજ જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને દિલ્હી NCRના તમામ કૂતરાઓને શેલ્ટર હોમમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. આ ચુકાદાથી એનિમલ એક્ટિવિસ્ટ નારાજ થયા હતા અને તેઓ તેનો વિરોધ કરી રહ્યા છે. આ મામલો મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ સમક્ષ પણ મૂકવામાં આવ્યો હતો અને આજે ત્રણ ન્યાયાધીશોની નવી બેન્ચે કેસની સુનાવણી કરી હતી. બેન્ચમાં ચુકાદો આપનારા ન્યાયાધીશોનો સમાવેશ થતો નથી.
જસ્ટિસ વિક્રમ નાથની અધ્યક્ષતામાં જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન.વી. અંજારિયાએ કેસની સુનાવણી કરી હતી. બેન્ચ સમક્ષ દિલ્હી સરકારનો પક્ષ રજૂ કરતી વખતે એસજી તુષાર મહેતાએ કહ્યું હતું કે, 'દરેક જગ્યાએ અવાજ ઉઠાવનારા લઘુમતી અને શાંત લોકો બહુમતી છે.' વધારે લોકો શાંતિથી સહન કરતા રહે છે. અહીં લોકો ચિકન, માંસ, ઈંડા ખાઈને પોતાને એનિમલ લવર ગણાવી રહ્યા છે.
એસજી તુષાર મહેતાએ કહ્યું હતું કે, બાળકોના મૃત્યુના એવા વીડિયો છે જે જોઈ શકાતા નથી. દર વર્ષે દરરોજ 37 લાખ 10 હજાર કૂતરા કરડવાના કેસ નોંધાય છે, જે ચિંતાનો વિષય છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ને ટાંકીને તેમણે કહ્યું કે દર વર્ષે 305 મૃત્યુ હડકવાને કારણે થાય છે. તેમણે કહ્યું હતું કે અહીં કોઈ કૂતરાઓને મારવાની વાત નથી કરી રહ્યું. તેમને વસ્તીમાંથી દૂર કરવાની વાત થઈ રહી છે.
એસજી મહેતાની દલીલ પર અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે, તેમણે પહેલીવાર સોલિસિટર પાસેથી સાંભળ્યું છે કે એવો કાયદો છે જેને અવગણવો જોઈએ. એસજી મહેતાએ આ પર કહ્યું, 'મેં એવું કહ્યું નથી.' કપિલ સિબ્બલે વધુમાં કહ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશન જે કાયદો છે તેનું પાલન કરતું નથી. કૂતરાઓની વસ્તી વધી છે. હવે જ્યારે કેટલાક લોકો તેમને ખવડાવે છે, ત્યારે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
