રાફેલ મુદ્દે દાખલ સમીક્ષા અરજીઓ પર સુપ્રીમ કોર્ટે ફેસલો સુરક્ષિત રાખ્યો
રાફેલ મુદ્દે દાખલ સમીક્ષા અરજીઓ પર સુપ્રીમ કોર્ટે ફેસલો સુરક્ષિત રાખ્યો
નવી દિલ્હીઃ રાફેલ ડીલ મામલે દાખલ પુનર્વિચાર અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફેસલો સુરક્ષિત રાખી લીધો છે. જણાવી દઈએ કે અગાઉ કોર્ટે 14 ડિસેમ્બર 2018ના રોજ રાફેલ ડીલની પ્રક્રિયા યોગ્ય ઠેરવી હતી. પરંતુ આ બાદ મીડિયાના કેટલાક રિપોર્ટ અને કાગળ આધાર પર સુપ્રીમ કોર્ટે આ મામલાને લઈ દાખલ પુર્વિચાર અરજીની સુનાવણી માટે હામી ભરી હતી. જે બાદ આ મામલે સુનાવણી શરૂ થઈ.
જે બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્રની મોદી સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો. જેના પર એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે જવાબ દાખલ કરવા માટે 4 અઠવાડિયાનો સમય માંગ્યો હતો. જો કે કોર્ટે સમય ન આપ્યો. જે બાદ કેન્દ્ર સરકાર તરફથી 4મેના રોજ સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલ પર એક ફ્રેશ એફિડેવિટ દાખલ કરવામાં આવ્યું છે. સરકારે પોતાના આ નવા એફિડેવિટમાં કહ્યું કે 14 ડિસેમ્બર 2018ના રોજ 36 રાફેલની ખરીદી પર જે ફેસલો આપવામા આવ્યો હતો તે યોગ્ય હતો.
Supreme Court refuses to hear AAP leader Sanjay Singh in Rafale review case. Earlier the Court had said it will not hear Singh and took strong exception to Singh's comments about the Court after Rafale judgment. pic.twitter.com/N19fGQE3Rt
— ANI (@ANI) May 10, 2019
પોતાના એફિડેવિટમાં સરકારે કહ્યું કે અપ્રામાણિત મીડિયા રિપોર્ટ અને અધૂરી ફાઈલ્સને પુનર્વિચાર માટે આધાર ન બનાવી શકાય. સરકાર તરફથી દાખલ આ એફિડેવિટ મુજબ રાફેલ રાફેલ ડીલની પીએમઓ તરફથી થઈ રહેલ દેખરેખને હસ્તક્ષેપ અથવા સમાંતર વાતચીત તરીકે ન ગણી શકાય. ઉપરાંત આ એફિડેવિટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તત્કાલીન રક્ષામંત્રીએ ફાઈલમાં લખ્યું છે કે એવું લાગે છે કે પીએમઓ અને ફ્રેન્ચ રાષ્ટ્રપતિની ઑફિસ તરફથી આના પર નજર રાખવામાં આવી રહી છે જે સંમેલનમાં થયેલ મુલાકાતનું પરિણામ છે.
Supreme Court reserves order on Rafale review petitions against its December 14, 2018 judgement upholding the 36 Rafale jets' deal. pic.twitter.com/b9gC4s0qCp
— ANI (@ANI) May 10, 2019
સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની પુનર્વિચાર અરજી પર સુનાવણી માટે ઈનકાર કરી દીધો. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે આ મામલે અમે પહેલા જ કહી ચૂક્યા છીએ કે તમારી અરજી નહિ સાંભળશું.
આ પણ વાંચો- 23મી મેના રોજ પીએમ મોદીની ગુજરાત વાપસી નક્કીઃ કમલનાથ