23મી મેના રોજ પીએમ મોદીની ગુજરાત વાપસી નક્કીઃ કમલનાથ
23મી મેના રોજ પીએમ મોદીની ગુજરાત વાપસી નક્કીઃ કમલનાથ
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પૂર્વ પીએમ રાજીવ ગાંધીને લઈ આપવામાં આવેલ નિવેદન પર મહાસંગ્રામ મચ્યો છે. પીએમ મોદીએ પહેલા તેમની ભ્રષ્ટાચારી નંબર 1 ગણાવ્યા અને પછી એક દિવસ બાદ જ આઈએનએસ વિરાટ પર રજા મનાવવાની વાત બોલી ઘાવ પર તેલ રેલ્યું. પીએમ મોદીના આ નિવેદન પર હવે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પલટવાર કર્યો છે. કમલનાથે ગુરુવારે કહ્યું કે પીએમ મોદી રાજીવ ગાંધી પર જે આરોપો લગાવી રહ્યા છે તે બહુ બકવાસ છે.

કમલનાથ બોલ્યા- મોદીને છે આ ડર
ન્યૂજ એજન્સી પીટીઆઈને આપેલ ઈન્ટર્વ્યૂમાં સીએમે કહ્યું કે તેમની વાત કરવાની રીતથી લાગે છે કે તેઓ બહુ ડરી ગયા છે અને તેમને લાગે છે કે તેમની ગુજરાત વાપસીનો સમય આવી ગયો છે. કમલનાથે કહ્યું કે આ દુઃખદ વાત છે કે મોદી પોતાની હેસિયત ભૂલી ગયા છે. જેવી રીતે તેઓ આરોપ લગાવી રહ્યા છે તેઓ બહુ હલકા છે. કમલનાથે કહ્યું કે જનતાનું ધ્યાન ભટકાવવા માટે યુવાઓ, ખેડૂતો અને વ્યાપારીઓની વાત નથી કરી રહ્યા. તેઓ લોકોને ભટકાવી રહ્યા છે.

પીએમ મોદીના આ નિવેદનને લઈ બબાલ મચી
જણાવી દઈએ કે પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા શનિવારે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં કહ્યું હતું કે રાજીવ ગાંધીનો અંત ભ્રષ્ટાચારીના રૂપમાં થયો છે. પીએમ મોદીએ આગળ કહ્યું હતું કે તમને (રાહુલ ગાંધીના) પિતાને કોર્ટ અધિકારીઓએ મિસ્ટર ક્લિન ગણાવ્યા હતા, પરંતુ તેમનું જીવન ભ્રષ્ટાચારી નંબર 1ના રૂપમાં સમાપ્ત થઈ ગયું. પીએમ મોદીના આ નિવેદનને બોફોર્સ કૌભાંડ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. જેમાં રાજીવ ગાંધી ફસાયેલા હતા. જણાવી દઈએ કે 1991માં ચેન્નઈ નજીક શ્રીપેરુમ્બદૂરમાં રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી.

કમલનાથ બોલ્યા- મોદીની ઘર વાપસી નક્કી
કમલનાથે પીએમના એ નિવેદન પર પણ પલટવાર કર્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે ત્રીજા અને ચોથા તબક્કાના મતદાન બાદ જ વિપક્ષ ચૂંટણી હારી ગયું છે. આના પર કમલનાથે કહ્યું કે તેઓ બીજું શું કહેશે? તેઓ એમ તો કહેશે નહિ કે તેઓ જમીન ગુમાવી રહ્યા છે. એક વાત સ્પષ્ટ છે, તેમની ઘરવાપસી નક્કી છે. આ ઉપરાંત કમલનાથે કહ્યું કે મધ્ય પ્રદેશમાં તેમની પાર્ટી 29 લોકસભા સીટમાંથી 22 સીટ જ જીતી રહી છે. જણાવી દઈએ કે ભાજપે 2014ની ચૂંટણીમાં મધ્ય પ્રદેશમાં 27 સીટ પર જીત હાંસલ કરી હતી. મધ્ય પ્રદેશમાં કુલ 4 તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. બે તબક્કાના મતદાન થઈ ચૂક્યાં છે જ્યારે ત્રીજા તબક્કાના મતદાન ક્રમશઃ 12 અને 19મી મેના રોજ થશે.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
