સુપ્રીમ કોર્ટ : અનામત ગુણવત્તાની વિરુદ્ધ નથી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ આર્થિક અને સામાજિક લાભોને પ્રતિબિંબિત કરતી
સર્વોચ્ચ અદાલતે ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, અનામત એ યોગ્યતાની વિરુદ્ધ નથી, પરંતુ તેની વિતરણાત્મક અસરને આગળ વધારશે.
સર્વોચ્ચ અદાલતે ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, અનામત એ યોગ્યતાની વિરુદ્ધ નથી, પરંતુ તેની વિતરણાત્મક અસરને આગળ વધારશે. તબીબી અભ્યાસક્રમોમાં ઓલ ઈન્ડિયા ક્વોટા (AIQ) સીટોમાં OBC ને 27 ટકા અને EWS ને 10 ટકા અનામત આપવાની મંજૂરી આપતાં સર્વોચ્ચ અદાલતે આ વાત કહી હતી.
જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેચે જણાવ્યું હતું કે, જ્યારે કાઉન્સેલિંગ બાકી હોય ત્યારે ન્યાયિક ઔચિત્ય અમને ક્વોટામાં રહેવાની મંજૂરી આપશે નહીં, ખાસ કરીને એવા કિસ્સામાં જ્યાં બંધારણીય અર્થઘટન સામેલ છે.
બેચે જણાવ્યું હતું કે, ન્યાયિક હસ્તક્ષેપથી આ વર્ષે પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થશે, પાત્રતાના માપદંડમાં કોઈપણ ફેરફારથી પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થશે અને ક્રોસ લિટીગેશન થશે. આપણે હજૂ પણ કોરોના રોગચાળાની વચ્ચે છીએ અને તેથી દેશને ડોકટર્સની જરૂર છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે તેના નિર્ણય માટે વિગતવાર કારણો આપ્યા છે.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અમુક વર્ગોને મળેલા આર્થિક-સામાજિક લાભને પ્રતિબિંબિત કરતી નથી. આથી લાયકાતને સામાજિક રીતે સુસંગત બનાવવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે, પ્રદીપ જૈનના ચુકાદાને એવી રીતે વાંચી શકાય નહીં કે, ઓલ ઈન્ડિયા ક્વોટાની સીટ પર કોઈ અનામત ન હોય શકે.
સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે, એવી દલીલ કરી શકાતી નથી કે, પરીક્ષાઓની તારીખો નક્કી થયા બાદ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. કોર્ટે અવલોકન કર્યું કે, AIQ સીટમાં અનામત આપતા પહેલા કેન્દ્રને આ કોર્ટની પરવાનગી લેવાની જરૂર નથી અને તેથી તેમનો નિર્ણય સાચો હતો.
આ મામલે વિગતવાર સુનાવણી થવી જરૂરી છે
EWS ક્વોટાના સંદર્ભમાં બેચે જણાવ્યું હતું કે, અરજદારોની દલીલ માત્ર AIQ માં હિસ્સા સુધી મર્યાદિત નથી પણ માપદંડ પર પણ છે, તેથી આ બાબતની વિગતવાર સુનાવણી કરવાની જરૂર છે. તેથી કોર્ટે માર્ચના ત્રીજા સપ્તાહમાં આ મામલે વિચારણા કરવાનો નિર્ણય લીધો છે.
નીલ ઓરેલિયો નુન્સની આગેવાની હેઠળના અરજદારોના જૂથે પીજી અભ્યાસક્રમોમાં વર્તમાન શૈક્ષણિક સત્રથી NEET ઓલ ઈન્ડિયા ક્વોટામાં OBC અને EWS આરક્ષણ લાગુ કરવા માટે કેન્દ્રની 29 જુલાઈની સૂચનાને પડકારી છે.
અંડરગ્રેજ્યુએટ કોર્સમાં 15 ટકા સીટ અને પીજી કોર્સમાં 50 ટકા સીટ ઓલ ઈન્ડિયા ક્વોટામાંથી ભરવામાં આવે છે. 7 જાન્યુઆરીના રોજ સર્વોચ્ચ અદાલતે 27 ટકા OBC ક્વોટાની માન્યતાને સમર્થન આપ્યું હતું, પરંતુ કહ્યું હતું કે, EWS ઉમેદવારો માટે નિર્ધારિત વાર્ષિક રૂપિયા 8 લાખની આવકનો માપદંડ પેન્ડિંગ પિટિશનના અંતિમ પરિણામને આધીન રહેશે.