INS વિરાટ માટે લોકોનુ અભિયાન રંગ લાવ્યુ, સુપ્રીમ કોર્ટે તોડવાની પ્રક્રિયા પર લગાવી રોક
સુપ્રીમ કોર્ટે આગલા આદેશ સુધી INS વિરાટને તોડવાની પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે.
Supreme Court on INS Viraat: ભારતીય નૌકાદળમાંથી રિટાયર થઈ ચૂકેલ વિમાનવાહક જહાજ આઈએનએસ વિરાટને તોડવાની પ્રક્રિયા ચાલુ હતી. દેશમાં ઘણા બધા લોકો એવા હતા જે આના વિરોધમાં હતા. સાથે જ તેમણે સોશિયલ મીડિયા પર વિરાટને બચાવવા માટે અભિયાન પણ ચલાવ્યુ. સાથે જ સંગ્રહાલય તરીકે ફેરવવાની માંગ કરી. બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને બુધવારે આમાં મોટો ચુકાદો આવ્યો. સુપ્રીમ કોર્ટે આગલા આદેશ સુધી INS વિરાટને તોડવાની પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે.

વાસ્તવમાં INS વિરાટને ચાર વર્ષ પહેલા ભારતીય નૌકાદળમાંથી રિટાયર કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ ગયા વર્ષે જુલાઈમાં 38.54 કરોડ રૂપિયામાં શ્રીરામ ગ્રુપે તેને ખરીદ્યુ અને ગુજરાતના ભાવનગર લઈ ગયા જ્યાં ગયા વર્ષે ડિસેમ્બરમાં તેને તોડવાની પ્રક્રિયા શરૂ થઈ. વર્તમાન સમયમાં 300 પ્રશિક્ષિત શ્રમિકો આને તોડવાનુ કામ કરી રહ્યા હતા. સાથે જ 30 ટકા હિસ્સો તૂટી પણ ગયો છે. આઈએનએસ વિરાટ મજબૂત સ્ટીલથી બનેલુ છે અને તેમાં અમુક ભાગ બુલેટપ્રૂફ પણ છે. શ્રીરામ કંપની તેને તોડીને તેનુ સ્ટીલ કાઢીને વેચશે.
વળી, તેની વેચવાની પ્રક્રિયાનો મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો. સાથે તે સરકારને આને સંગ્રહાલયમાં ફેરવવાની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં પણ એક અરજી કરવામાં આવી. જેના પર બુધવારે સુનાવણી કરીને કોર્ટે તેને તોડવાની પ્રક્રિયા પર સ્ટે લગાવી દીધો. સાથે જ કહ્યુ કે જ્યાં સુધી આગલો આદેશ ન આવે ત્યાં સુધી યથાસ્થિતિ જળવાઈ રહેવી જોઈએ.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
