પીએમ મોદી-શાહ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા કોંગ્રેસી સાંસદ સુષ્મિતા દેવ, કાલે સુનાવણી થશે
પીએમ મોદી-શાહ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા કોંગ્રેસી સાંસદ સુષ્મિતા દેવ, કાલે સુનાવણી થશે
નવી દિલ્હીઃ કોંગ્રેસના સાંસદ સુષ્મિતા દેવે સપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી માંગણી કરી છે કે અદાલત ચૂંટણી પંચને પીએણ મોદી અને અમિત શાહ વિરુદ્ધ આચાર સંહિતાના ઉલ્લંઘનના મામલાની ફરિયાદ પર કાર્યવાહી કરવાના નિર્દેશ આપે. કોંગ્રેસના સાંસદની આ અરજી પર સુપ્રીમ કોર્ટ મંગળવારે સુનાવણી કરશે.
અરજીમાં કોંગ્રેસી સાંસદે કહ્યું છે કે પ્રચાર દરમિયાન પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના પર અદાલતથી ચૂંટણી પંચને તાત્કાલિક કાર્યવાહી કરવાના નિર્દેશ આપવાની માંગણી કરવામાં આવી છે. સુષ્મિતા દેવે પોતાની અરજીમાં કહ્યું કે પીએમ અને અમિત શાહે ચૂંટણી રેલીઓમાં નફરત ફેલાવતાં ભાષણ આપ્યાં. તેમણે પ્રતિબંધ હોવા છતાં જનસભામાં સશસ્ત્ર બળનો ઉલ્લેખ કર્યો.
#UPDATE: Supreme Court to hear tomorrow the petition filed by Congress MP Sushmita Dev, seeking urgent & necessary directions to the Election Commission to take a decision on the complaints filed against PM Modi & BJP President Amit Shah over alleged violations of electoral laws. https://t.co/1gGkJrMIne
— ANI (@ANI) April 29, 2019
સુનાવણી દરમિયાન કોર્ટના સીજેઆઈ રંજન ગોગોઈએ પૂછ્યું કે આચાર સંહિતાનું ઉલ્લંઘન કોણે કર્યું, તો વકીલ અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે પીએમ મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું. અગાઉ કોંગ્રેસે શનિવારે કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ આચાર સંહિતાના ઉલ્લંઘનના મામલે જો ચૂંટણી પંચ કાર્યવાહી નથી કરતું તો તે અદાલતનો દરવાજો ખખડાવી શકે છે.
આ પણ વાંચો- ઉમા ભારતીને મળવા પહોંચી પ્રજ્ઞા ઠાકુર, ગળે મળી રડવા લાગી