એસસી-એસટી કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપી શકે છે કેન્દ્ર સરકારઃ સુપ્રિમ
પ્રમોશનમાં અનામત પર મહત્વનો ચૂકાદો આપતા સુપ્રિમ કોર્ટે કહ્યુ કે આ મુદ્દે સંવિધાન પીઠનો નિર્ણય આવે નહિ ત્યાં સુધી કેન્દ્ર સરકાર એસસી એસટી કર્મચારીઓને પ્રમોશનમાં અનામતનો લાભ આપી શકે છે.
પ્રમોશનમાં અનામત પર મહત્વનો ચૂકાદો આપતા સુપ્રિમ કોર્ટે કહ્યુ કે આ મુદ્દે સંવિધાન પીઠનો નિર્ણય આવે નહિ ત્યાં સુધી કેન્દ્ર સરકાર એસસી એસટી કર્મચારીઓને પ્રમોશનમાં અનામતનો લાભ આપી શકે છે. મંગળવારે સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યુ છે કે જ્યાં સુધી સંવિધાન પીઠ આના પર અંતિમ ચૂકાદો ન લે ત્યાં સુધી સરકાર કાયદા મુજબ પ્રમોશનમાં અનામત લાગૂ કરીને એસસી એસટી કર્મચારીઓને આનો લાભ આપી શકે છે.

પ્રમોશનમાં અનામત અંગે સુનાવણી દરમિયાન મંગળવારે સરકારનો પક્ષ રાખતા અધિક સોલિસિટર જનરલ મનિન્દર સિંહે સુપ્રિમ કોર્ટમાં અલગ અલગ કોર્ટના કેટલાક નિર્ણયોના લીધે કર્મચારીઓને પ્રમોશનમાં મુશ્કેલી પડતી હોવાની વાત ઉઠાવી હતી. અધિક સોલિસિટર જનરલે ઉચ્ચતમ ન્યાયાલયને કહ્યુ કે સરકારને એ વાતનો ખ્યાલ છે કે કર્મચારીઓને પ્રમોશન આપવુ તેમની જવાબદારી છે પરંતુ આમાં અમુક અદાલતોના નિર્ણયોના કારણે મુશ્કેલી થઈ રહી છે.
મનિન્દર સિંહે કહ્યુ કે દેશની ઘણી અદાલતોના નિર્ણયોના કારણે કર્મચારીઓનું પ્રમોશન રોકાઈ રહ્યુ છે. તેમણે પ્રમોશનમાં અનામત પર અદાલતમાં ચાલી રહેલી કાર્યવાહીની વાત પણ કહી. આના પર સુપ્રિમ કોર્ટે કહ્યુ કે પ્રમોશનમાં અનામત પર સંવિધાન પીઠ કોઈ અંતિમ નિર્ણય ન આપે ત્યાં સુધી કેન્દ્ર સરકાર કાયદા પ્રમાણે એસસી એસટી કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપી શકે છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા








Click it and Unblock the Notifications
