‘મોદી સરનેમ' વાળા નિવેદન પર સુશીલ મોદીઃ રાહુલ સામે કરીશુ માનહાનિનો કેસ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકની રેલીમાં અપાયેલા એક નિવેદન પર બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કરવા કહ્યુ છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકની રેલીમાં અપાયેલા એક નિવેદન પર રાજકારણ ગરમાયુ છે. આ નિવેદન પર બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કરવા કહ્યુ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કર્ણાટકની રેલીમાં પીએમ મોદી પર હુમલો કર્યો હતો અને કહ્યુ હતુ કે બધા ચોરોના નામ મોદી કેમ છે.

રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કરીશ -સુશીલ મોદી
બિહારના ડેપ્યુટી સીમ સુશીલ મોદીએ કહ્યુ, ‘હું પટનાની અદાલતમાં રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કરીશ. શું મોદી સરનેમ રાખવી ગુનો છે?રાહુલ ગાંધીએ કરોડો લોકોને ચોર કહ્યા છે અને તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કર્યુ છે.' તેમણે સાથે એ પણ કહ્યુ કે હાર નિશ્ચિત જોઈને હવે વિપક્ષ ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યુ છે.
|
બધા ચોરોના ઉપનામ મોદી કેમ છે - રાહુલ ગાંધી
શનિવારે ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટકમાં રાહુલ ગાંધીએ ભ્રષ્ટાચારના મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઘેર્યા હતા. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા ‘ચોકીદાર 100 ટકા ચોર છે' કહ્યુ હતુ. રાહુલ ગાંધીએ કહ્યુ કે બધા ચોરોના ઉપનામ મોદી કેમ છે. રાહુલ ગાંધી રાફેલ મુદ્દે મોદી સરકાર પર આરોપ લગાવતા રહ્યા છે. તે રાફેલ સોદામાં ગોટાળાનો આરોપ લગાવીને પીએમ મોદીને ઘેરતા રહ્યા છે. થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે પીએમ મોદીને ડિબેટ કરવાનો પડકાર પણ આપ્યો હતો.

મોદી સરનેમ પર ગરમાયુ રાજકારણ
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે નીરવ મોદી, લલિત મોદી, અનિલ અંબાણી અને નરેન્દ્ર મોદી આ આખુ ટોળુ છે. ચોરોનું આખુ દળ છે. રાહુલ ગાંધીએ મોદી ઉપનામ પર કહ્યુ હતુ કે બધા ચોરોના નામ મોદી કેમ છે. ખબર નહિ બીજા કેટલા મોદી આવશે. રાહુલ ગાંધીના આ નિવેદન પર ભાજપ નેતા અને બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ ટ્વીટ કરતા કહ્યુ કે તે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કરશે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
