‘મોદી સરનેમ' વાળા નિવેદન પર સુશીલ મોદીઃ રાહુલ સામે કરીશુ માનહાનિનો કેસ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકની રેલીમાં અપાયેલા એક નિવેદન પર બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કરવા કહ્યુ છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકની રેલીમાં અપાયેલા એક નિવેદન પર રાજકારણ ગરમાયુ છે. આ નિવેદન પર બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કરવા કહ્યુ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કર્ણાટકની રેલીમાં પીએમ મોદી પર હુમલો કર્યો હતો અને કહ્યુ હતુ કે બધા ચોરોના નામ મોદી કેમ છે.

રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કરીશ -સુશીલ મોદી
બિહારના ડેપ્યુટી સીમ સુશીલ મોદીએ કહ્યુ, ‘હું પટનાની અદાલતમાં રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કરીશ. શું મોદી સરનેમ રાખવી ગુનો છે?રાહુલ ગાંધીએ કરોડો લોકોને ચોર કહ્યા છે અને તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કર્યુ છે.' તેમણે સાથે એ પણ કહ્યુ કે હાર નિશ્ચિત જોઈને હવે વિપક્ષ ઈવીએમ પર સવાલ ઉઠાવી રહ્યુ છે.
|
બધા ચોરોના ઉપનામ મોદી કેમ છે - રાહુલ ગાંધી
શનિવારે ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટકમાં રાહુલ ગાંધીએ ભ્રષ્ટાચારના મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઘેર્યા હતા. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા ‘ચોકીદાર 100 ટકા ચોર છે' કહ્યુ હતુ. રાહુલ ગાંધીએ કહ્યુ કે બધા ચોરોના ઉપનામ મોદી કેમ છે. રાહુલ ગાંધી રાફેલ મુદ્દે મોદી સરકાર પર આરોપ લગાવતા રહ્યા છે. તે રાફેલ સોદામાં ગોટાળાનો આરોપ લગાવીને પીએમ મોદીને ઘેરતા રહ્યા છે. થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે પીએમ મોદીને ડિબેટ કરવાનો પડકાર પણ આપ્યો હતો.

મોદી સરનેમ પર ગરમાયુ રાજકારણ
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે નીરવ મોદી, લલિત મોદી, અનિલ અંબાણી અને નરેન્દ્ર મોદી આ આખુ ટોળુ છે. ચોરોનું આખુ દળ છે. રાહુલ ગાંધીએ મોદી ઉપનામ પર કહ્યુ હતુ કે બધા ચોરોના નામ મોદી કેમ છે. ખબર નહિ બીજા કેટલા મોદી આવશે. રાહુલ ગાંધીના આ નિવેદન પર ભાજપ નેતા અને બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ ટ્વીટ કરતા કહ્યુ કે તે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કરશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
