વિવાદોમાં ઘેરાયેલા સ્વામી પ્રાસદમૌર્ય ફરી બોલ્યા, આ પલ્ટીમાર બાબા કે, થુકીને ચાટનાર હૈવાન
સ્વામી પ્રસાદ મૌર્યએ પરમહંસ આચાર્ય પર શાબ્દીક હૂમલો કર્યો હતો. તેમણે કહ્યુ કે, દંભી, પાખંડી, બાબાઓએ સર કાપનારને 21 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. હવે તે પલટીમાર બાબા બની ગયા છે.
સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય લગાતાર પોતાના નિવેદન બાજીને લઇને ચર્ચામાં રહે છે. જેવી રીતે તેમણે રામચરીત માનસને લઇને વિવાદિત ટિપ્પણી કરી છે તેને લઇને તે સમાચારની હેડલાઇનમાં છે. સ્વામી પ્રસાદ મૌર્યના વિવાદિત નિવેદન બાદ હનુમાનગઢીના પુજારી રાજુદાસે તેના વિરુદ્ધ 21 લાખનુ ઇનામ જાહેર કર્યુ છે. તેમણે એક વિડીયો બનાવીને કહ્યુ કે, જે પણ તેનુ માથુ ધડથી જુદુ કરશે તેને 21 લાખનુ ઇનામ આપવામાં આવશે. ત્યાર બાદ લગાતાર સ્વામી પ્રસાદ પલટ બાબા પર શાબ્દીક હૂમલો કર્યો હતો.

સ્વામી પ્રસાદ મૌર્યએ ટ્વીટ કરીને લખ્યુ છે કે, સમસ્ત મહિલા સમાજ અે શુદ્રવર્ણના સમ્માનની વાત શુ કર જાણે કે, પહાડ તુટી પડ્યો. જે દંભી, પાખંડી, બેહરૂપિયા બાબાઓએ માથુ કાપનારને 21 લાખનું રૂપિયા દેવાની જાહેરાત કરી છે. તે બાબાએ જ ફોટાને તલવારથી કાપીને પોતાની હેવાન હોવાની પુષ્ટી કરી દીધી છે. હવે તેમને પલટી માર બાાબા કહે કે, થુકીને ચાટનાર વાળા બાબા હૈવન છે. દેશની મહિલાઓ, આદિવાસીઓ, દલિતો અે પછાત લોકોાન સમ્માનની વાત કરવાથી ધર્મના ઠેકેદારોને મરચા લાગે છે. આખરે તે પણ હિન્દુ છે. શુ અપમાનિત થનારા 97 ટકા હિન્દુઓની ભાવનાઓ પર અપાનિત કરનાર 3 ટકા ધર્મચારીઓની ભાવના વધારે મહત્વની છે.
પોતાના નિવદેનને લઇને વિવાદોમાં આવનાર સ્વામી પ્રસાદ તેના પર કાયમ છે. તે લગાતાર સાધુ સંતો પર પલટવાર પણ કર છે. મગંળવારે સ્વામી પ્રસાદ મૌર્યની તસ્વીરને પરમહંસ આચાર્યએ વિરોધ સ્વરૂપ ફોટાને તલવારથી કાપ્યો હતો. તેમણે કહ્યુ કે, જો તે નહી સુધરે તો તેનુ માતી પોતાના હાથે કાપી નાખશે. ધર્મના રક્ષક માટે રાક્ષસી નશો જરૂરી છે આ આપમી સંસ્કૃતિ છે.
આ પહેલા સ્વામી પર્સાદ મૌર્યએ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, દરેક અસંભવ કાર્યને કરવા માટે નૌટકી કરવા માટે એક ધામના બાબાની ધુમ મચી છે. તમે કેવા બાબા છો સૌથી સશક્ત પીઠના મહંત હોવા છતા માથુ કાપવાની સુપારી આપો છો. શ્રાપ આપીને પણ ભસ્મ કરી શકો છો. 21 લાખ રૂપિયા પણ બચી જાત અસલી ચહેરો પણ બેનકાબ ના થાત. ધર્મની દુહાઇ આપીને આદિવાાસીઓ દલિતો પછાત અને મહિલાઓને અપમાનિત કરવાની સાજિતનો વિરોધ કરતો રહીશ. જેવી રીતે કુતરાના ભસવાથી હાથીને કોઇ ફરક નથી પડતો તેવી જ રીતે તેમને સમ્માન નહી મળે ત્યાં સુધી હુ પણ મારી વાત નહી બદલુ.












Click it and Unblock the Notifications
