હનીમુન જવા માટે થયો હતો તેજ પ્રતાપ અને ઐશ્વર્યા વચ્ચેે ઝઘડો?
લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવની થોડા મહિના જૂના લગ્ન હવે છૂટાછેડાના આરે આવી પહોંચ્યા છે. તેજે પોતાની પત્ની ઐશ્વર્યા વિશે ઘણા ખુલાસા પણ કર્યા છે જે ઘણા ચોંકાવનારા છે.
લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવની થોડા મહિના જૂના લગ્ન હવે છૂટાછેડાના આરે આવી પહોંચ્યા છે. તેજે પોતાની પત્ની ઐશ્વર્યા વિશે ઘણા ખુલાસા પણ કર્યા છે જે ઘણા ચોંકાવનારા છે. તેજનું કહેવુ છે કે તે અને ઐશ્વર્યાના વિચારો ખૂબ જ અલગ છે, તે નોર્થ પોલ છે અને હું સાઉથ પોલ એટલા માટે અમારુ સાથે રહેવુ હવે ઘણુ મુશ્કેલ છે. હાલમાં તેજનો પૂરો પરિવાર તેના વિરોધમાં થઈ ગયો છે. જેના કારણે તે ઘણા ગુસ્સામાં જોવા મળી રહ્યા છે.

હનીમુનની વાત માટે થયો તેજ-ઐશ્વર્યામાં ઝઘડો
એટલુ જ નહિ લોકલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેજ પ્રતાપ યાદવે કહ્યુ છે કે તેમની અને તેમની પત્ની વચ્ચે હનીમુનની વાત માટે જ ઝઘડો શરૂ થઈ ગયો હતો. તેજના જણાવ્યા અનુસાર ઐશ્વર્યા ઈચ્છતી હતી કે તે તેમને હનીમુન માટે બાલી (ઈન્ડોનેશિયા) લઈ જાય પરંતુ તેજે ના પાડી દીધી કારણકે તે ધાર્મિક પ્રકારના વ્યક્તિ છે એટલા માટે એવા જગ્યાઓએ ના જઈ શકે. એટલુ જ નહિ તેજે કહ્યુ કે શહેરી પરિવેશ અને મોડર્ન વિચારો ધરાવતી ઐશ્વર્યાને સિગારેટ અને શરાબનો પણ શોખ છે.

મારા લગ્ન જબરદસ્તી કરાવવામાં આવ્યા હતાઃ તેજ પ્રતાપ
તેજ પ્રતાપનું કહેવુ છે કે તેમના લગ્ન જબરદસ્તીથી કરાવવામાં આવ્યા હતા જેના કારણે તેમની અને તેમની પત્નીની જીવનની ગાડી આગળ નથી વધી શકતી. તેજનું એ પણ કહેવુ છે કે આ લગ્ન રાજકીય ફાયદા માટે કરાવવામાં આવ્યા હતા અને તેમણે લગ્નનો ઈનકાર પણ કર્યો હતો પરંતુ ઘરવાળાએ તેમનુ કંઈ પણ સાંભળ્યુ નહિ અને તેમના લગ્ન જબરદસ્તી કરાવી દીધા.

સારણ લોકસભા સીટ
મીડિયા રિપોર્ટ્સમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે ઐશ્વર્યા પોતાના પિતા ચંદ્રિકા પ્રસાદ રાયને સારણ લોકસભા સીટ પરથી ટિકિટ અપાવવા ઈચ્છતી હતી જેના માટે તે તેજ પ્રતાપ પર દબાણ કરી રહી હતી.

લાલુએ સમજાવ્યા લાલને પરંતુ ટસથી મસ ન થયા
પોતાની આ વ્યથા જણાવવા તેજ યાદવ રવિવારે રિમ્સના પેઈંગ વોર્ડમાં પહોંચ્યા હતા જ્યાં પોતાના પિતાને જોતા જ તેજ પ્રતાપની ધીરજનો અંત આવી ગયો અને તેમણે પોતાની બધી વાતો પોતાના પિતાને જણાવી દીધી પરંતુ લાલુએ પણ પોતાના પુત્રને સંબંધ બચાવી રાખવાની સલાહ આપી. લાલુએ કહ્યુ કે, ‘બબુઆ માન જા, ઈલેક્શન કે સમય બા, બહુત બદનામી હોઈ, સમજા બબુઆ.'

તેની સાથે નથી રહેવુ મારેઃ તેજ પ્રતાપ
જેના જવાબમાં તેજપ્રતાપે કહ્યુ કે મારે તેની સાથે નથી રહેવુ. લાલુ પ્રસાદે સતત સમજાવવા-મનાવવાની કોશિશ કરતા રહ્યા પરંતુ તેજપ્રતાપ ચૂપચાપ તેમની વાતો સાંભળતા રહ્યા પરંતુ અંતમાં એ જ કહ્યુ કે હવે તે છૂટાછેડાની અરજી પાછી નહિ લે.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
