કાશ્મીરમાં સીઆરપીએફની પેટ્રોલિંગ ટુકડી પર આતંકવાદી હુમલો, 3 જવાનો થયા શહીદ
કાશ્મીર ખીણમાં આતંકવાદી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ખીણમાં આતંકવાદીઓએ ફરી એકવાર સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. આ હુમલામાં સીઆરપીએફના ત્રણ જવાન શહીદ થયા છે. તે જ સમયે, ઘણા જવાન ઘાયલ હોવાનું કહેવાઈ
કાશ્મીર ખીણમાં આતંકવાદી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ખીણમાં આતંકવાદીઓએ ફરી એકવાર સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. આ હુમલામાં સીઆરપીએફના ત્રણ જવાન શહીદ થયા છે. તે જ સમયે, ઘણા જવાન ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક જવાનોની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આતંકવાદીઓ ત્યાંથી નાસી ગયા હતા, જેની શોધ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર ખાતે શનિવારે સાંજે સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત પાર્ટી પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના ત્રણ જવાન શહીદ થયા છે, જ્યારે કેટલાંક જવાન ઘાયલ હોવાનું કહેવાય છે. ઘટનાની તુરંત પછી સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની ટીમે આ વિસ્તારને ઘેરી લીધો હતો. આ સાથે જ આતંકવાદીઓની શોધખોળ માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: ઝાયરા વસીમે કર્યું ટ્વીટ, કહ્યું આ વાતથી ઇમાનને ખતરો












Click it and Unblock the Notifications
